ભૂલથી પણ કાળી ચૌદશે ન કરશો આ કામ, નહીં તો થઈ જશો કંગાળ

કાળી ચૌદશના દિવસે રાતે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય.

image source

આજના દિવસને નરક ચતુર્દશી પણ કહે છે. કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા જોડાયેલી છે. આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. આજના દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. જેને નાની દીવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. એક પૌરાણિક કથા છે કે નરકાસૂર નામના રાક્ષસે 16000 જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસૂરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો. જેને લઈને આ દિવસને નરકા ચતુર્દશી કે નરક ચતુર્દશી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણે સત્યભામાના મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલા પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.

આ માન્યતા પણ સંકળાયેલી છે

image source

કાળી ચૌદસે રુપાળી કે ગોરી સ્ત્રીઓ આંખોમાં જાતે બનાવેલ કાજળ-મેશ આંજે છે. કાજલથી આંખો રુપાળી દેખાય છે. વળી એવી પણ માન્યતા છે કે કાળી મેશ આંજવાથી કોઇની નજર લાગતી નથી. વળી આ દિવસે શરીરની કાન્તિ વધારવા તલના તેલની માલિશ કરાય છે. એવી પણ માન્યતા છે કે તલના તેલમાં લક્ષ્‍મીનો વાસ હોવાથી તલના તેલનુ સેવન શરીર માટે સુંદરતા વધારે છે. આવા કારણોથી કાળી ચૌદસ પણ કહેવાય છે.

આ 10 કામ કરવાથી બચો

કાળી ચૌદશના દિવસે કેટલાક કામો કરવાથી બચવું જોઈએ નહીં તો આખુ વર્ષ ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે એમ કહેવાય છે.

1. નરક ચતુર્દશીના દિવસે જે લોકોના પિતા જીવતા હોય તેમણે ભૂલેચૂકે યમદેવને તલ તર્પણ ન કરવા. આમ કરવાથી પરિવાર પર સંકટ ઊભુ થાય છે.

image source

2. આજના દિવસે જીવ હત્યા કરવી જોઈએ નહીં. કારણ કે આ દિવસે યમરાજની પૂજા થાય છે આથી જીવ હત્યાથી પાપ લાગે.

3. નરક ચતુર્દશીના દિવસે ઘરના દક્ષિણ ખૂણાને જરાય ગંદો રાખવો જોઈએ નહીં. કારણ કે તે યમરાજાનો ખૂણો ગણાય છે. તેનાથી તેઓ નારાજ થાય તેમ કહેવાય છે.

image source

4. નરક ચતુર્દશીના દિવસે તેલનું દાન બિલકુલ ન કરો. કારણ કે આમ કરવાથી લક્ષ્મી ટકતી નથી.

image source

5. નરક ચતુર્દશીના દિવસે ક્યારેય મોડા સૂઈને ઉઠવું નહીં. આમ કરવાથી ભાગ્ય હંમેશા માટે સૂતુ રહે છે.

6. નરક ચતુર્દશીના દિવસે ઝઘડો કરવો જોઈએ નહીં. આમ કરવાથી હંમેશા નકારત્મકતાનો માહોલ રહે છે.

image source

7. આજના દિવસે ભૂલેચૂકે માંસાહારી ભોજન ન કરવું. માંસાહારી ભોજન કરવાથી નરકની યાતના ભોગવવી પડે છે.

8. કાળી ચૌદશે દારૂનું સેવન ન કરવું. દારૂ એ તામસી પ્રકૃતિનો ગણાય છે.
9. આઝના દિવસે ઝાડૂને પગ ન મારવો અને ઝાડૂને ક્યાંય ઊભું પણ ન રાખવું. ઝાડૂને પગ મારવાથી કે ઊભું રાખવાથી ધનનો ખર્ચ વધે છે.

image source

10. આજના દિવસે અન્નનું અપમાન ન કરવું. અન્નના અપમાનથી હંમેશા અન્ન માટે તરસતા રહેવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "ભૂલથી પણ કાળી ચૌદશે ન કરશો આ કામ, નહીં તો થઈ જશો કંગાળ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel