ઘરમાં આ સમયે વાળો કચરો, પછી જુઓ તમે કેટલા ઝડપથી બની જાવો છો કરોડપતિ

ઘરમાં આ સમયે કચરો વાળવો જોઈએ અને જોવો આપ પછી કેટલી ઝડપથી બની જાવ છો કરોડપતિ.

આખા દેશમાં થોડાક દિવસ પહેલા જ નવરાત્રિનો તહેવાર સમાપ્ત થયો છે ત્યાં જ હવે દિવાળી ઉત્સવની પણ તૈયારીઓ દેશમાં દરેક જગ્યાએ જોરશોરથી શરુ કરી દેવામાં આવે છે. એવામાં આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કચરો વળવાના શુભ મુહુર્ત જે સમય લક્ષ્મીજીનું આગમન થાય છે તો ચાલો જાણીએ કચરો વાળવા માટે સૌથી સારો અને શુભ સમય કયો હોય છે.

image source

ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, સવારના સમયે કચરો વાળવાના શુભ મુહુર્ત અને સૌથી સારો સમય ૪ થી ૫ વાગ્યાની વચ્ચેનો હોય છે અને આ સમયને તે સમય કહેવામાં આવે છે જયારે દેવી લક્ષ્મીનું અગ્મ્ન્ઘરમાં થાય છે અને તે ઘરમાં રહેતી વ્યક્તિઓની બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે.

image source

એવું કહેવાય છે કે. જે પણ મહિલા કે પછી પુરુષ આ સમયે ઘરમાં કચરો વાળે છે તેમના ઘરમાં ઘણા પૈસા આવે છે. આપ આખા દિવસમાં કોઇપણ સમયે કચરો વાળી શકો છો પરંતુ આપે ધ્યાન રાખવું જોઈએ કે, શરુઆતમાં પહેલી વાર કચરો આ સમયે વાળવો જોઈએ જેથી ઘરમાં હંમેશા માટે બરકત જળવાઈ રહે છે.

image source

હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સાવરણીને ધનની દેવી મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સાવરણીને યોગ્ય અને સાફ- સ્વચ્છ જગ્યા પર રાખવાનું કહેવામાં આવે છે.

image source

એવું કહેવાય છે કે, નિયમિત રીતે સવારે અને સાંજના સમયમાં ઘર અને કાર્ય સ્થાનને કચરો વાળીને સાફ- સફાઈ કરવાથી સ્વચ્છતાની સાથે ધનની પ્રાપ્તિ પણ થાય છે. આ જ કારણ છે કે સવારે કચરો વાળવાની પરંપરા મોટાભાગના ઘરોમાં હોય છે. જે ઘરોમાં નિયમિત રીતે કચરો વાળવામાં નથી આવતો ત્યાં દરિદ્રતા નિવાસ કરે છે એના સિવાય સાવરણીને મહાલક્ષ્મીજીનું પ્રતિક માનનાર વ્યક્તિઓ મુજબ સાવરણીને ક્યારેય પણ પગ લાગવો જોઈએ નહી કેમ કે, આમ કરવું દેવી મહાલક્ષ્મીનો અનાદર થાય છે.

image source

સાવરણીનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી તેને કોઈ એવા સુરક્ષિત સ્થાન પર રાખી દેવી જોઈએ, જ્યાં એની પર કોઈની નજર ના પડે કેમ કે, વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પણ એવી માન્યતા છે કે, જો સાવરણી બહાર દેખાય છે તો આપના ઘરમાં કલહ થઈ શકે છે.

image source

એવું માનવામાં આવે છે કે, અપવિત્ર, ગંદા અને પાણીવાળી જગ્યા પર સાવરણીને રાખવી જોઈએ નહી. દીવારના સહારે પણ સાવરણીને ઉભી મુકવી નહી. ઘર, દુકાન કે પછી કાર્ય સ્થાન વગેરેની સફાઈ કરવામાં લેવામાં આવતી સાવરણીને ભૂલથી પણ રસ્તા, નાળી કે પછી મળ- મૂત્રની સફાઈ કરવી જોઈએ નહી. ઘરના કોઈ સભ્ય કે પછી મહેમાનના ચાલ્યા ગયાના તરત જ પછી કચરો વાળવો અશુભ માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Related Posts

0 Response to "ઘરમાં આ સમયે વાળો કચરો, પછી જુઓ તમે કેટલા ઝડપથી બની જાવો છો કરોડપતિ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel