બિયોન્સેએ ઘરમાં પાળી 80 હજાર મધમાખીઓ, આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે…

પોપ સિંગર બિયોન્સેએ પોતાના ઘરમાં ૮૦ હજાર મધમાખીઓનો ઉછેર કરે છે, ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું દીકરીની ટ્રીટમેન્ટ માટે આવું કર્યું.

પોપ આઈકોન તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ બિયોન્સેએ પોતાના ઘરમાં અંદાજીત ૮૦ હજાર જેટલી મધમાખીઓનો ઉછેર કર્યો છે. બિયોન્સેએ આવી રીતે મધમાખીનો ઉછેર કરવાનું કારણ જણાવતા કહે છે કે, તેમની દીકરીઓ બ્લુ આઈવી અને રૂમી છે. પોપ સિંગર બિયોન્સેની બંને દીકરીઓને એલર્જી છે અને આ એલર્જીનો એકમાત્ર ઉપચાર મધ છે. એટલા માટે પોપ સિંગર બિયોન્સેએ પોતાના ઘરમાં જ મધમાખીઓના બે ટોપ લગાવ્યા છે એમાંથી બિયોન્સે આખા વર્ષ દરમિયાન ઘણું બધું મધ પ્રાપ્ત કરી લે છે.

આશ્ચર્યજનક વાતો જણાવી છે.

પ્રસિદ્ધ વોગ મેગેઝીનને આપવામાં આવેલ એક ઇન્ટરવ્યુ દરમિયાન પોપ સિંગર બિયોન્સેએ પોતાની કેટલીક અન્ય વાતો પણ શેર કરી છે. વોગ મેગેઝીન દ્વારા જયારે બિયોન્સેને પૂછવામાં આવ્યું કે, તેમના પોતાના વિષે સૌથી આશ્ચર્યજનક વાત કઈ હશે? આ વાતના જવાબમાં પોપ સિંગર બિયોન્સેએ પોતાના ઘરમાં મધમાખીનો ઉછેર કરવાની વાતનો ખુલાસો કર્યો છે. આ ઇન્ટરવ્યુ દરમિયાન પોપ સિંગર બિયોન્સેએ પોતાની સફળતા વિષે પણ કેટલીક વાતો જણાવતા કહ્યું છે કે, મારા માટે મારી ફિલ્મ્સ અને કપડાની કંપની જ મારા માટે ઘણી અગત્યતા ધરાવે છે.

કમિટમેન્ટ વિષે પોપ સિંગર બિયોન્સે કહ્યું કઈક આવું.

પોપ સિંગર બિયોન્સેએ પોતાના વર્ક કમિટમેન્ટ વિષે વાત કરતા જણાવ્યું છે કે, તેઓ એક વાર કોઈ કમિટમેન્ટ આપી દે છે તો આ કમિટમેન્ટને પુરા ડેડીકેશન સાથે કમિટમેન્ટને પૂરું કરે છે. ઉપરાંત મારી સાથે કામ કરવા માટે ખુબ જ ધીરજની જરૂરિયાત હોય છે એવું એટલા માટે કારણ કે, મારી કામ કરવાની પ્રોસેસ ઘણી થકવી દે એવી હોય છે. હું ઘણીવાર વિડીયો ફૂટેજની પ્રત્યેક સેકન્ડ પર પોતે નજર કરું છું અને કેટલીક વાર તો વિડીયો ફૂટેજને ફોરવર્ડ અને બેકવર્ડ કરીને વિડીયો ફૂટેજની જાતે જ સમીક્ષા કરું છું.

પોપ સિંગર બિયોન્સેને ભારતના નંબર વન બિઝનેસમેન મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્નની સંગીત સેરેમની માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા. એવું એટલા માટે કેમ કે, ઈશા અંબાણી પોપ સિંગર બિયોન્સેને ખુબ જ પસંદ કરે છે.

એટલા માટે મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીની શક્ય હોય એટલી ઈચ્છાઓને પૂરી કરવાની વાતને ધ્યાનમાં રાખતા મુકેશ અંબાણીએ પોપ્યુલર પોપ સિંગર બિયોન્સેને ખાસ બોલાવવામાં આવ્યા હતા. એટલું જ નહી, બિયોન્સેએ ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં ઇન્ડીયન આઉટફિટમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "બિયોન્સેએ ઘરમાં પાળી 80 હજાર મધમાખીઓ, આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel