આંંખોનું તેજ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, નહિં આવે ચશ્માના નંબર પણ…

આધુનિક વાતાવરણમાં ઘણી વસ્તુઓ છે જેના કારણે આંખી નબળી થઈ શકે છે.ઘણી વાર આંખોની નબળાઇ આનુવંશિકતાને કારણે
પણ થાય છે.આ સિવાય નબળી જીવનશૈલી અને પૌષ્ટિક આહાર ન લેવાથી પણ આંખોની રોશની નબળી પડે છે.

image source

ઉમર વધતાની સાથે જ આપણી આંખોમાં પરિવર્તન શરૂ થાય છે,જેના કારણે ધીમે ધીમે આંખોની દ્રષ્ટિ પણ નબળી પડી જાય છે.પરંતુ જો ખોરાકમાં પોષક તત્ત્વોની ઉણપ થાય અને તમે અયોગ્ય જીવનશૈલી અનુસરો તો આ ફેરફારો સમય પહેલાં જ આવવાનું શરૂ થાય છે.ઉપરાંત જો યોગ્ય આહાર અને યોગ્ય જીવનશૈલીનું પાલન કરવામાં આવે તો વ્યક્તિની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી રહે છે.

image source

આ સિવાય ખોરાકમાં આવશ્યક પોષક તત્ત્વોનો અભાવ પણ આંખોની દ્રષ્ટિ પર નકારાત્મક અસર કરે છે. વિટામિન-સી,વિટામિન-એ
અને વિટામિન-ઇ,ઝીંક,લ્યુટિન,ગિયાઝેક્સિન અને ઓમેગા -3 ફેટી એસિડ્સ આપણી આંખોના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ
ભૂમિકા ભજવે છે.જો લાંબા સમયથી તમારા આહારમાં વિટામિનનો અભાવ છે,તો તમારું આંખોનું તેજ તો નબળું પડે જ છે,ઉપરાંત મોતિયા તથા આંખોની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને એવી કેટલીક ચીજો વિશે જણાવીશું જેનું સેવન કરીને તમે તમારી આંખોનું તેજ વધારી શકો છો તેમ જ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવી શકો છો,તો ચાલો જાણીએ. આમળા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.તેથી આમળાનું સેવન કરવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.

image source

વરિયાળીમાં ઘણા પોષક તત્વો અને એન્ટી -ક્સિડેન્ટ હોય છે,જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.તેથી દરરોજ રાત્રે સૂતા પહેલા એક
ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળી પાવડર નાખીને પીવાથી આંખોની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે. બદામમાં વિટામિન ઇ અને એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે સાથે બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ પણ હોય છે.જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે.તેથી બદામને આખી રાત પાણીમાં રાખો પછી સવારે બદામની છાલ કાઢી તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટ દરરોજ સવારે દૂધ સાથે પીવો.આ ઉપાયથી જો તમને ચશ્મા હશે તો તે ધીરે-ધીરે દૂર થશે.

image source

ત્રિફળા પાવડર પણ આંખો માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.એક ચમચી ત્રિફલા પાવડરને પાણીમાં નાંખો અને તેને આખી
રાત માટે રહેવા દો.બીજા દિવસે સવારે આ પાણીને ગાળી લો અને આ પાણીથી તમારી આંખો ધોઈ લો.એક મહિનાની અંદર તમારી
આંખોની દ્રષ્ટિમાં સુધારો થવાનું શરૂ થશે.

image source

– નિયમિતપણે કાચા ગાજરનું સલાડ ખાવાથી અને ગાજરનો રસ પીવાથી આંખોની રોશનમાં વધારો થાય છે.આ સિવાય ગાજર અને
આમળાનો રસ એક સાથે પીવાથી આંખોની રોશની ઝડપથી સારી થાય છે.

image source

– આંખોનું તેજ વધારવા માટે ફટકડીનો એક નાનો ટુકડો શેકવો અને તેને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો. ત્યારબાદ દરરોજ રાત્રે આ
ગુલાબજળના 4-5 ટીપા તમારી આંખોમાં નાખો.આ ઉપાય તમારી આંખોની સમસ્યાઓ દૂર કરશે.

6-7 બદામ, 5 કિસમિસ અને બે અંજીર લો અને તેને આખી રાત પાણીમાં પલાળો.ત્યારબાદ સવારે ઉઠીને આ ખાલી પેટ ખાઈ
લો.તેમાં સારી માત્રામાં ફાઇબર અને વિટામિન હોય છે જે આંખોને સ્વસ્થ રાખે છે.

આ બાબતોનું પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

image source

– દિવસમાં બે વાર ઠંડા પાણીથી આંખો ધોવી જોઈએ.

-વાંચતી વખતે પ્રકાશની વિશેષ કાળજી લેવી જોઈએ.ખૂબ હળવા પ્રકાશમાં વાંચવું અથવા લખવું આંખો પર દબાણ લાવે છે.

– આંખોને ધૂળ,પ્રદૂષણ અને મજબૂત સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખવી જોઈએ,મજબૂત સૂર્યપ્રકાશમાં જતા હોય ત્યારે સારી ગુણવત્તાવાળા
ચશ્માનો ઉપયોગ આંખો પર કરવો જોઈએ કારણ કે સૂર્યની યુવી કિરણો આંખોને નુકસાન પહોંચાડીને સમસ્યાઓનું કારણ બને છે.તેથી
આ ચશ્મા તમારી આંખોને સુરક્ષિત રાખશે.

image source

– લાંબા સમય સુધી કમ્પ્યુટર પર સતત વાંચન અથવા કામ કરવાથી પણ આંખો પર નકારાત્મક પ્રભાવ પડે છે.તેથી કમ્પ્યુટર પર થોડા
સમય કામ કર્યા પછી તમારી આંખો બંધ કરી થોડો સમય આરામ કરવો પણ જરૂરી છે.

0 Response to "આંંખોનું તેજ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, નહિં આવે ચશ્માના નંબર પણ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel