PM મોદીના ગામ વડનગર વિશે આ વાત જાણીને તમે પણ થઇ જશો આશ્વર્યચકિત
પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં મળ્યા ૫મી સદીના બે બૌદ્ધ સ્તૂપ, વડનગરનું આ સ્થળ હડપ્પા સભ્યતાના સ્થળો માંથી એક સ્થળ છે.
ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લામાં આવેલ વડનગરમાં પુરાતત્વ વિભાગના કર્મચારીઓ હાલના દિવસોમાં ખોદકામ કરાવી રહ્યા છે. જેનાથી અહિયાં હજારો વર્ષ જુના માટીના વાસણ, ઘરેણા અને અલગ અલગ પ્રકારના ઔજાર અને હથિયાર મળી રહ્યા છે. હવે અહિયાં ૫મી સદીના બે બૌદ્ધ સ્તૂપ મળ્યા છે. પુરાતત્વવેત્તાઓનું એવું માનવું છે કે, કેમ કે, વડનગર હડપ્પા સભ્યતા ભારતની સૌથી પ્રાચિનતમ સભ્યતા માનવામાં આવી રહી છે.
વડનગર સાથે દેશના વર્તમાન સમયના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ સંબંધ ધરાવે છે. વડનગર વિષે પુરાતત્વવેત્તાઓએ કહ્યું હતું કે, વડનગરનો ઈતિહાસ અંદાજીત ૨૫૦૦ વર્ષ જુનો છે.
હજારો વર્ષ પહેલા પણ અહિયાં ખેતી કરવામાં આવતી હતી. તે સમયના કેટલાક પ્રાચીન ઔજાર પણ અહિયાં મળી આવ્યા છે. ખોદકામ કરવા દરમિયાન હાલમાં જ ત્રીજી અને ચોથી સદીના બૌદ્ધ સ્તૂપના અવશેષ અને ૭મી- ૮મી સદીના માનવ કંકાલ પણ મળી આવ્યા હતા. જો કે હાલમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે પરંતુ હવે ધીરે ધીરે દેશને અનલોક કરવામાં આવી રહ્યો છે. આ અનલોકના દિવસોમાં સારેગામા સર્કલમાં રેલ્વે ફાટકની નજીક ખોદકામ ચાલી રહ્યું છે.
પુરાતત્વ વિભાગના કર્મચારીઓને જુલાઈ, ૨૦૨૦માં જ વડનગરમાં ખોદકામ કરવા દરમિયાન ઘણા બધા વર્ષો જુના ઓરડા મળ્યા હતા. જેની બે મીટર ઉંચી અને એક મીટર પહોળી ચાર દીવારો પણ મળી આવી છે. ત્યારે પુરાતત્વવેત્તાઓએ કહ્યું છે કે, આ બે હજાર વર્ષ જુના બૌદ્ધ ઓરડા મળ્યા છે. પુરાતત્વવેત્તા એવું માને છે કે, ૧૬મી સદીમાં જયારે પશ્ચિમ દિશા તરફના લોકો ભારત આવે છે, તો તેઓ વડનગરની સંપત્તિનો ઉપયોગ કરવા લાગે છે. અંગ્રેજોએ વડનગરમાં પણ રેલના પાટાનું જાળું પાથર્યું હતા. કેટલાક રેકોર્ડ એવું જણાવે છે કે, સંવત ૧૯૪૩ (વર્ષ ૧૮૮૭) માં મહેસાણા અને રંદાલા, વિસનગર, વડનગરની વચ્ચે રેલ્વે લાઈન પાથરી દેવામાં આવી હતી. ત્યાર પછીથી ટ્રેન તેની પર ચાલવા લાગે છે.
દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા તરીકે પ્રસિદ્ધ થયેલ ભારતની હડપ્પા અને સિંધુ ખીણની સંસ્કૃતિ સાબિત થઈ છે. પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પણ દુનિયાની પ્રાચીન સંસ્કૃતિ માંથી એક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. એટલા માટે હવે વડનગરમાં આવેલ હડપ્પા સંસ્કૃતિના અવશેષોની ઘણી જાળવણી રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં લોથલ, ધોધા અને હવે મહેસાણા જીલ્લાનું વડનગર ગામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "PM મોદીના ગામ વડનગર વિશે આ વાત જાણીને તમે પણ થઇ જશો આશ્વર્યચકિત"
ટિપ્પણી પોસ્ટ કરો