સવારે ઉઠતાની સાથે જ મોમાં રહેલી લાળ તમે કાઢી નાખો છો બહાર? જો ‘હા’ તો તમે કરી રહ્યા છો ખુબ મોટું નુકસાન, જાણો કેમ
સવારે વાસી મોં પાણી પીવાના ઘણા ફાયદા છે. જો તમે પણ સવારે ઉઠીને વાસી મો પાણી પીવું પસંદ કરો છો, તો આ એક સારી ટેવ છે, જે તમને દિવસભર ફ્રેશ રાખે છે સાથે તંદુરસ્ત પણ રાખે છે. પરંતુ શું તમે ક્યારેય સવારે ઉઠ્યા પછી વાસી મોંનું પાણી પીવાના ફાયદાઓ વિશે વિચાર્યું છે, તે આપણા શરીર સાથેના આપણા મૂડને કેવી અસર કરે છે. સવારે વાસી મો પાણી પીવાના ફાયદાઓ વિશે વાત કરીએ તો આખી રાત મોમાં બનેલી લાળમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે.

જે આપણને પેટને લગતી બીમારીઓ સહિતના અનેક રોગોથી સુરક્ષિત રાખે છે. આપણી લાળમાં ઘણી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે સવારે પાણી સાથે આપણા શરીરમાં ગયા પછી આપણા શરીરના હાનિકારક તત્વોને દૂર કરવામાં અસરકારક છે.તમે હંમેશાં તમારા વડીલોના મોએ સાંભળ્યું હશે કે આપણે સવારે વાસી મોં પાણી પીવું જોઈએ, એમનું આવું કહેવાનું કોઈ કારણ તો હશે જ ને આપણે બધા જાણીએ છીએ કે આપણું શરીર 70 ટકાથી વધુ પાણીનું બનેલું છે, તો પછી આપણે આવી મહત્વની વસ્તુની અવગણના કેવી રીતે કરી શકીએ, તો ચાલો આપણે જાણીએ કે સવારે વાસી મોં પાણી પીવાથી શું થાય છે.

સૌ પ્રથમ, જાણો પાણી પીવાની સાચી રીત શું છે. સૌ પ્રથમ તાંબાનું વાસણ લો, રાત્રે સૂતા પહેલા આ વાસણમાં પાણી ભરો અને સવારે વહેલા ઉઠો અને વાસી મોં પર જેટલું પાણી પી શકો તેટલું પી લો. આ પાણી પીવાથી રાત્રે મોમાં ઉત્પન્ન થતી લાળ, જે પ્રકૃતિમાં ક્ષારયુક્ત છે, તમારા પેટમાં જાય છે, જેનાથી એસિડિટી નથી થતી અને પેટ સંપૂર્ણ સાફ થાય છે, આ પાણી પીવાથી આંખોમાં કોઈ સમસ્યા નથી થતી અને આંખોની દ્રષ્ટિ વધે છે.

સવારે, વાસી મોં પાણી લોહીમાં પોષક તત્ત્વો ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે, આ ચયાપચયમાં સુધારો કરે છે અને કંઈપણ ખાવા-પીવાથી શરીરમાં સહેલાઈથી બધું પચી જાય છે. શરીર મજબૂત અને સ્વસ્થ બને છે, તેમજ વાસી મોં પાણી પીવાથી ત્વચા પર થતી સમસ્યા પણ દૂર થાય છે.

જો તમે દરરોજ સવારે ઉઠીને વાસી મોં પર પાણી પીવો છો તો તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં છે. આ માટે, સ્નાન કર્યા પછી ઓછામાં ઓછા 1-2 ગ્લાસ પાણી પીવાથી પણ ફાયદો થશે.

કિડની આપણા શરીરના ઝેરી અને હાનિકારક તત્વોને બહાર કાઢવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરે છે. દરરોજ સવારે વાસી મોં પાણી પીવાથી આપણી કિડની સાફ થાય છે. આની મદદથી કિડની પોતાનું કામ સરળતાથી કરી શકશે અને આપણે કિડનીમા ચેપ, કિડનીમા થતી પથરી જેવા રોગોથી બચી શકીએ છીએ.

જો તમને થોડા દિવસથી યુરિનની જગ્યાએ ખંજવાળ, યુરિન ઇન્ફેક્શન જેવા રોગોથી પરેશાન છો તો સવારે વાસી મો પાણી પીવાની આદત રાખો. વસીમો પાણી પીવાથી તમને આ સમસ્યામાંથી જલ્દી રાહત મળશે. આ સાથે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં પણ રાહત મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "સવારે ઉઠતાની સાથે જ મોમાં રહેલી લાળ તમે કાઢી નાખો છો બહાર? જો ‘હા’ તો તમે કરી રહ્યા છો ખુબ મોટું નુકસાન, જાણો કેમ"
ટિપ્પણી પોસ્ટ કરો