આલેલેલે! રણબીરે આલિયા સાથે લગ્નની વાત લઇને કહી દીધું કે…’મહામારી ન આવી હોત તો….’
આ વર્ષની શૂઆતમાં ખબર આવ્યા હતા કે રણબીર કપૂર આલિયા ભટ્ટ વર્ષના અંત સુધીમા લગ્ન કદરી લેશે, પણ કોરોના વાયરસની મહામારીના કારણે બધું જ બદલાઈ ગયું છે. હવે ફિલ્મ અભિનેતા રણબીર કપૂરે તાજેતરમાં આ વાત પર અપડેટ આપ્યા છે. તેમણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે જો કોરના વાયરસની મહામારી ન આવી હોત તો તેમના અનને આલિયાના લગ્ન થઈ ગયા હોત. રણબીર કપૂર કહે છે, ‘અમારા જીવનમાં કોરોના મહારી ન આવી હોત તો અમે લગ્ન કરી લેતા.’ તેમણે કહ્યું તેઓ જલદી જ લગ્ન કરશે.
આ અવસર પર રણબીર કપૂરે આલિયા ભટ્ટના ખૂબ વખાણ કર્યા. લોકડાઉન દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને આલિયા ભટ્ટની ખૂબ મદદ મળી છે. રણબીરે એ પણ કહ્યું કે આલિયા ભટ્ટ તેની સરખામણીએ ઘણી સફળ છે અને તેણીએ લોકડાઉનમાં ગિટારથી લઈને સ્ક્રીનરાઇટિંગ સુધીના ક્લાસ કર્યા અને આલિયા ભટ્ટની સામે તે પોતાને ઓછા આંકે છે. તેમણે એ પણ કહ્યું કે મહામારી દરમિયાન તેમણે કોઈ ક્લાસ નથી લીધા.
રણબીરે એ પણ કહ્યું કે શરૂઆતમાં તેઓ પારિવારિક સમસ્યાઓ સાથે જોડાયેલા રહેતા હતા. ત્યાર બાદ તેમણે વાંચવાનું શરૂ કર્યું અને પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત દરરોજ તેઓ ત્રણ ફિલ્મો જોતા હતા. રણબીર અને આલિયાએ પોતાના સંબંધોને સાર્વજનિક કરી દીધા છે. બન્ને હંમેશા સાથે જોવા મળે છે. બન્ને પહેલીવાર દીગદર્શક અયાન મુખર્ચીની ફિલ્મ ભ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તે બન્ને ઉપરાંત અમિતાભ બચ્ચન, ડિંપલ કપાડિયા, નાગાર્જુન અને મૌની રૉય મુખ્ય ભુમિકામાં જોવા મળશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને કેટલાએ અવસર પર એક સાથે પણ જોવા મળ્યા છે. બન્નેની કેમેસ્ટ્રી ગજબની છે. બન્નેની તસ્વીરો સોશિયલ મિડિયા પર અવારનવાર વાયરલ થતી હોય છે.
રણબીરના પિતા ઋષિ કપૂરનું જ્યારે અવસાન થયું ત્યારે આલિયા સતત રણબીર અને તેના પરિવાર સાથે હતી. તેણી ઋષિ કપૂરની અંતિમ વિધિઓમાં પણ કપૂર પરિવાર સાથે જોવા મળી હતી. અને થોડા સમય પહેલાં જ તેણી પોતાની બહેન સાથે રણબીરના ફેમિલિ હાઉસની નજીક જ તેના નવા અપાર્ટમેન્ટમા શિફ્ટ થઈ છે.
થોડા સમય પહેલાં આલિયાએ પોતાના લગ્નને લઈને એવું નિવેદન આપ્યુ હતું કે તેણી હજુ લગ્ન માટે ઘણી નાની છે. તેણી હજુ 25 જ વર્ષની છે અને તેણીને પત્રકારોએ તેના કામ વિષે પ્રશ્નો પૂછવા જોઈએ નહીં કે તેના અંગત જીવનને લઈને.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આલેલેલે! રણબીરે આલિયા સાથે લગ્નની વાત લઇને કહી દીધું કે…’મહામારી ન આવી હોત તો….’"
ટિપ્પણી પોસ્ટ કરો