સુરત મહિલા PSI અમિતા જોષીના આપઘાતમાં નવો વળાંક, પોલીસે તપાસ તેજ કરી અને હવે અનૈતિક સંબંધ ધરાવતી મહિલા….
સુરતના ઉધનાનાં મહિલા PSI અમિતા જોશીએ 5 ડિસેમ્બરના રોજ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. ત્યારે કોઈને માનવામાં નહોતું આવતું કે આ દરજ્જા પર રહીને કોઈ આપઘાત કઈ રીતે કરી શકે છે. જ્યારે એવા સમાચાર મળ્યા કે સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI જોશીના આપઘાત કરી લીધો છે તો ત્યારે પોલીસ બેડામાં ચકચાર જોવા મળી હતી. તો હવે ફરી એકવાર આ મામલે નવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે અને હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે.
જો હવેની તપાસ વિશે વાત કરીએ તો એમાં PSI જોશીના કોલ ડિટેલ્સ-રેકોર્ડિંગ કબ્જે કરવાની સાથે અનૈતિક સંબંધ હતા એ મહિલાની પણ પૂછપરછ કરવામાં આવી છે અને પોલીસ કોઈ તાગ મેળવવાનું નક્કી કરી રહી છે. તો જાણવા મળી રહ્યું છે કે સુરત મહિલા PSI જોશીના આપઘાત મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને જેમાં પોલીસ દ્વારા PSI અમિતાના કોલ ડિટેલ્સ-રેકોર્ડિંગ કબ્જે કરવામાં આવ્યાં છે. આ સાથે પોલીસ મહિલા PSIના પિયર પક્ષના નિવેદન લેવામાં આવ્યાં છે. જો કે એક વાત એ પણ છે કે બીજી તરફ પોલીસ દ્વારા મૃતક મહિલા PSIના પતિના અનૈતિક સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અનૈતિક સંબંધ હતા તે મહિલાની પણ પૂછપરછ કરવામાં આી છે.
હાલમાં પોલીસ એક્શનમાં આવીને આ કેસ તપાસી રહી છે અને કાર્યવાહીની વાત કરીએ તો પોલીસે ઘટનાને લઇને પુરાવા એકત્ર કરવાનું શરુ કર્યું છે. તો વળી એક એવી પણ વાત જે તે સમયે બહાર આવી હતી કે સુરતના મહિલા PSI જોશીના આપઘાતની પાછળ સાસરિયા દ્વારા કરવામાં આવતું દબાણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. જો કે આ સાથે મહિલા PSIના પરિવારે તટસ્થ તપાસની માંગ કરી છે. મહિલા PSI જોશીને પતિ-સાસરિયા તરફથી નોકરી છોડવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. જેમાં પતિ અને સાસરિયા તરફથી કહેવામાં આવતું હતું કે જો તારે તારા પુત્રને મળવું હોય તો નોકરી છોડી દે. એ જ રીતે સૂત્રોના મળેલી માહિતી મુજબ મહિલા PSI જોશીએ આપઘાત કરતાં પહેલા તેમના નણંદ સાથે છેલ્લી વાત કરી હોવાનો ખુલાસો થયો હતો.
પણ આ વિગત જે સામે આવી એને લઈને PSI જોશીએ નણંદને કહ્યું હતું કે મૃત્યું પછી રુપિયા આવે તો પુત્રના નામે FD કરવી તે અંગે વાતચીત થઇ હોવું બહાર આવ્યું હતું. સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતા મહિલા PSIએ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. મહિલા PSI અનિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વોરમાંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. અનિતા જોશી સુરતના ઉધનાના પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે. ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા.
આત્મહત્યા દિવસની આખી ઘટના વિશે વાત કરીઅ તો મૂળ અમરેલીના અમિતા જોશી સુરતના ઉઘના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ ગૌરાંગ જોશી સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. પોલીસ દંપતી ફાલસાવાડીના પોલીસ લાઈનમાં સી બ્લોકમાં રહેતું હતું. ત્યારે આજે સવારે 6 વાગ્યા સુધી અમિતા જોશીએ ડ્યુટી કરી હતી. તેના બાદ તેઓ ઘરે ગયા હતા. આ દરમિયાન તેમના પતિએ તેમને વારંવાર ફોન કર્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તેથી તેઓએ આજુબાજુમાં જાણ કરી હતી. આખરે દરવાજો ન ખૂલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ત્રિકમથી બારણુ તોડ્યું હતું. દરવાજો ખૂલતા જ અમિતા જોશીનો પેટના ભાગે ગોળી મારેલો મૃતદેહ મળી આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સુરત મહિલા PSI અમિતા જોષીના આપઘાતમાં નવો વળાંક, પોલીસે તપાસ તેજ કરી અને હવે અનૈતિક સંબંધ ધરાવતી મહિલા…."
ટિપ્પણી પોસ્ટ કરો