PM મોદીની માતા હિરાબાને ખેડૂતે લખ્યો ભાવુક પત્ર, ‘આખો દેશ તમને Thank You કહેશે, એક માતા જ….’
પંજાબના એક ખેડૂતે મહિનાઓ સુધી તેમના જેવા હજારો ખેડુતો સાથે વિરોધ કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વૃદ્ધ માતા હિરાબેન મોદીને એક ઈમોશનલ પત્ર લખ્યો છે, જેમા તેમને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તેઓ તેમના પુત્રને ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ કરવા વિનંતી કરે, જેના કારણે સમગ્ર દેશમાં મોટુ આંદોલન ચાલી રહ્યું છે. તેમણે પત્રમાં આશા વ્યક્ત કરી હતી કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીને પોતાનો વિચાર બદલવા માટે માતા તરીકેની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે.
હરપ્રીતસિંહે આ પત્ર હિન્દીમાં લખ્યો છે

પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગોલુ ના મોઢના રહેવાસી હરપ્રીતસિંહે આ પત્ર હિન્દીમાં લખ્યો છે. તેમણે લગભગ 100 વર્ષિય હીરાબેન મોદીને અપીલ કરીને ઘણા ભાવનાત્મક મુદ્દાઓ શામેલ કર્યા છે. તેમણે હવામાન પરિસ્થિતિઓ, જેના અંતર્ગત ખેડુતો વિરોધ કરી રહ્યા છે, કાયદાઓ રદ કરવાની માંગની પ્રકૃતિ, દેશમાં ભૂખમરી દૂર કરવામાં ખેડુતોનું યોગદાન અને દેશની સરહદો સુરક્ષિત કરવામાં તેમના યોગદાન જેવા મુદ્દાઓની ચર્ચા કરી છે.
અદાણી અને અંબાણીના ઈશારે કાયદા લાવવામાં આવ્યા

સિંહે લખ્યું છે કે, હું આ પત્ર ભારે મનથી લખી રહ્યો છું, કેમ કે તમે જાણો છો કે ત્રણ કાળા કાયદાને કારણે દેશ અને દુનિયાને ખવડાવતા અન્નદાતા કાતિલ ઠંડી વચ્ચે દિલ્હીના રસ્તાઓ પર સૂવા મજબૂર છે. તેમા 90-95 વર્ષના વૃદ્ધો ઉપરાંત, બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. કડકડતી ઠંડી લોકોને બિમાર કરી રહી છે અને ઘણા લોકો શહીદ પણ થઈ રહ્યા છે, જે આપણા બધા માટે ચિંતાનો વિષય છે.

તેમણે આગળ લખ્યું કે, દિલ્હીની સરહદો પર આ શાંતિપૂર્ણ આંદોલન ત્રણ કાળા કાયદાના કારણે શરૂ છે જેના અદાણી, અંબાણી અને અન્ય કોર્પોરેટ ગૃહોના કહેવા પર પસાર કરવામાં આવ્યા છે.
75 થી વધુ પ્રદર્શનકારીના મોત

સિંહ એ ખેડૂતોમાં સામેલ છે જે સપ્ટેમ્બર 2020 માં સંસદ દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા પસાર કર્યા બાદ દિલ્હી અને આજુબાજુની સરહદ પર લગભગ બે મહિનાથી હજારો ખેડૂતોની સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, ખેડૂત સંગઠનોની સરકાર સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂત આંદોલનને કારણે 75 થી વધુ પ્રદર્શકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાંના ઘણાએ આત્મહત્યા કરી છે.
એક જ માતા તેના પુત્રને આદેશો આપી શકે છે

સિંહને થોડા દિવસ પહેલા પરવાનગી વગર પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું છે કે, મેં આ પત્ર ખૂબ આશા સાથે લખ્યો છે. તમારા પુત્ર નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે. તેઓ દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાને રદ કરી શકે છે. મને લાગ્યું કે કોઈ તેની માતાને છોડીને કોઈ પણને મનાઈ કરી શકે છે. તેમણે લખ્યું, આખો દેશ તમારો આભાર માનશે. કેવળ એક જ માતા તેના પુત્રને આદેશો આપી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "PM મોદીની માતા હિરાબાને ખેડૂતે લખ્યો ભાવુક પત્ર, ‘આખો દેશ તમને Thank You કહેશે, એક માતા જ….’"
ટિપ્પણી પોસ્ટ કરો