સિંદુર અને તેલનો આ ટોટકો અપનાવશો તો આવશે પરિવારમાં સુખ-સમૃદ્ધિ…

Spread the love

હિન્દુ ધર્મ સાથે જોડાયેલી દરેક સ્ત્રી લગ્ન પછી માંગમાં સિંદૂર જરૂર ભરે છે. શાસ્ત્રોમાં સિંદૂરને સુહાગન મહિલાઓનો મહત્વપૂર્ણ શણગાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે મહિલાઓ દરરોજ લગ્ન પછી સિંદૂર લગાવે છે. તેના પતિનું આયુષ્ય વધે છે.

આ ઉપરાંત પૂજા પાઠ દરમિયાન પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા કરતી વખતે ભગવાનને સિંદૂરથી તિલક કરવામાં આવે છે.

એ જ રીતે, સ્વસ્તિક પણ સિંદૂર અને હળદરથી બનાવવામાં આવે છે. લાલ પુસ્તકમા સિંદૂર સાથે જોડાયેલા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને અપનાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘણી સમસ્યઓ દૂર થઈ જાય છે.

પારિવારિક શાંતિ માટે:

પરિવારમાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ચાલી રહી છે. તો સિંદૂર સાથે જોડાયેલો આ ઉપાય કરો. સિંદૂર સાથે જોડાયેલો આ ઉપાય કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. ઉપાય હેઠળ ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરો. પછી તેને હનુમાનજીને ચળાવો. આ ઉપાય પાંચ મંગળવાર અને શનિવાર સુધીમાં કરો. હનુમાનજીને સિંદૂર ચળાવવાથી સમસ્યાઓ દૂર થવા લાગશે અને પરિવારમાં શાંતિ રહેશે.

નકારાત્મક શક્તિઓ દૂર કરો:

જો તમને તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો અહેસાસ થાય છે તો સિંદૂર સાથે જોડાયેલો આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ સિંદૂરમાં તેલ મિક્સ કરો અને તેને મુખ્ય દરવાજા પર લગાવો. તમે આ સિંદૂરમાંથી સ્વસ્તિક પણ બનાવી શકો છો. આ ઉપાય કરવાથી, ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશ કરશે. વાસ્તુ દોષને દૂર કરવા માટે 40 દિવસ સતત આ ઉપાય કરો.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે:

માતા લક્ષ્મીને પણ થોડા સિંદૂરની મદદથી પ્રસન્ન કરી શકાય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે, દરરોજ પૂજા પછી થોડું સિંદૂર મુખ્ય દરવાજા પર લગાવો. દિવાળીના દિવસે સિંદૂરથી તિજોરી પર સ્વસ્તિક બનાવો. આ ઉપાય કરવાથી ધરમાં માતા લક્ષ્મી વાસ કરશે અને પૈસાની અછત નહિં આવે.

સમ્માન મેળવવા માટે:

કાર્યસ્થળ પર અને અન્ય જગ્યા પર તમારું સન્માન કરવામાં આવે તેના માટે સોપારીના પાનમાં ફટકડી અને સિંદૂર બાંધીને તેને પીપળના ઝાડની નીચે મૂકી દો. આગળના ત્રણ બુધવાર સુધી આ ઉપાય કરવાથી સમ્માનમાં વધારો થવા લાગશે અને લોકોની વચ્ચે તમારું નામ આદર સાથે લેવામાં આવશે.

વિવાહિત જીવનમાં મધુરતા:

વિવાહિત જીવનમાં મધુરતા જાળવવા માટે સુહાગન મહિલાઓ વાળ ધોયા પછી સવારે ગૌરી માતાને સિંદૂર ચળાવો અને તેમની પૂજા કરો. પૂજા પૂર્ણ થયા પછી તે જ સિંદૂરથી તમારી માંગ ભરો. આ ઉપાય કરવાથી વિવાહિત જીવન સારી રીતે પસાર થશે. આ ઉપરાંત વિવાહિત મહિલાઓને સિંદૂર આપવું પણ શુભ ફળ આપે છે.

ગ્રહોની શાંતિ માટે:

સિંદૂરની મદદથી ગ્રહોને પણ શાંત કરી શકાય છે. જો કુંડળી સૂર્ય અને મંગળ મારક ગ્રહો છે, મહાદશા અથવા અંતદર્શા હોય તો સિંદૂરને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આ ઉપાય કરવાથી આ ગ્રહો શાંત થઈ જશે. આ ઉપરાંત દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચળવો અને જળમાં સિંદૂર મિક્સ કરો.

ડર દૂર કરવા માટે:

જો તમને ડર લાગે છે અથવા ખરાબ સ્વપ્નો આવે છે, તો તમે ભગવાન હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં થોડું સિંદૂર રાખો. ત્યાર પછી હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ પૂર્ણ થયા પછી, તેમના ચરણોમાં ચળાવવામાં આવેલા સિંદૂરને એક કાગળમાં રાખો. આ કાગળને તમારા પલંગ પાસે રાખો. આ ઉપાય કરતાની સાથે જ ખરાબ સ્વપ્નો આવવાનું બંધ થઈ જશે અને ડરથી પણ છુટકારો મળશે

0 Response to "સિંદુર અને તેલનો આ ટોટકો અપનાવશો તો આવશે પરિવારમાં સુખ-સમૃદ્ધિ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel