ટીમ ઈન્ડિયા પછી હવે આ ટીમના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપશે વિરાટ કોહલી, ફેન્સ ચોંક્યા
વિરાટ કોહલીએ IPL 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાનો પણ નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ રવિવારે આની માહિતી આપી. અગાઉ તેણે ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતની ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.
વિરાટ કોહલીએ IPL2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાનો પણ નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ રવિવારે આની પુષ્ટિ કરી. અગાઉ તેણે ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતની ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે IPL ની આ સિઝનમાં RCB નું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. ટીમે 7 માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
Virat Kohli to step down from RCB captaincy after #IPL2021
“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM
— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021
RCB એ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે આજે સાંજે મેં ટીમ સાથે વાત કરી અને કહ્યું કે કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે. મેં આ અંગે ટીમ મેનેજમેન્ટને પણ જાણ કરી છે. મારા મગજમાં આ વાત લાંબા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં મેં ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી. જેથી હું કામનો બોજ સંભાળી શકું.
9 વર્ષની યાત્રા યાદગાર રહી

તેણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી હું ઘણું ક્રિકેટ રમી રહ્યો હતો. હું મારી જાતને તાજગી આપવા માંગતો હતો. તેથી જ મેં આ નિર્ણય લીધો છે. મેં આ RCB મેનેજમેન્ટને જણાવ્યુ છે કે હું ટીમ સાથે જોડાઈશ. મારી ટીમ સાથે 9 વર્ષની યાદગાર યાત્રા રહી છે. હું આ ફ્રેન્ચાઇઝી માટે રમવાનું ચાલુ રાખીશ. તમામ ચાહકોનો આભાર. આ એક નાનકડો સ્ટોપ છે. આ યાત્રા આગળ પણ ચાલુ રહેશે.
2013 માં કેપ્ટનશિપ

વિરાટ લીગની પ્રથમ સીઝન એટલે કે 2008 થી RCB સાથે છે અને 2013 માં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તેમના નેતૃત્વમાં RCB આજ સુધી IPL નો ખિતાબ જીતી શકી નથી. તેણે અત્યાર સુધી 199 મેચ રમી છે અને 37.97 ની સરેરાશથી 6076 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને 40 અડધી સદી છે. તેમણે આ વીડિયોમાં આગળ કહ્યું કે RCB પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહ્યું છે. કારણ કે આગામી વર્ષે IPL ની મોટી હરાજી થવાની છે. મેં મેનેજમેન્ટને કહ્યું છે કે હું RCB સિવાય અન્ય ટીમમાં હોવાનો વિચાર પણ કરી શકતો નથી.

વિરાટે IPL માં અત્યાર સુધી 132 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આમાંથી RCB એ 60 માં જીત મેળવી છે, જ્યારે ટીમને 65 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 3 મેચ ટાઈ રહી હતી અને બાકીની 4 અનિર્ણિત હતી.
0 Response to "ટીમ ઈન્ડિયા પછી હવે આ ટીમના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપશે વિરાટ કોહલી, ફેન્સ ચોંક્યા"
ટિપ્પણી પોસ્ટ કરો