સુશાંતના ટ્વીટર પર લાગેલી આ પેઈન્ટીંગનું એમના મોત સાથે છે ગજબ સંયોગ,બનાવનારે પણ કરી હતી આત્મહત્યા

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 2 મહિના પુરા થઇ ચુક્યા છે પણ એમના પરિવાર અને ફેન્સને હજી પણ એના પર વિશ્વાસ નથી થઇ રહ્યો. સુશાંત માટે સતત ન્યાયની મગ કરાઈ રહી છે. તો એમના કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. એમના જુના ફોટા, વિડીયો, પોસ્ટથી એ વાતનું અનુમાન લગાવાઈ રહ્યું છે કે શું સાચેજ એ ડીપ્રેશનમાં હતા કે પછી એક સાજીશ છે. એમાં જ એક પેઈન્ટીંગથી પણ સુશંતની મોતનું કનેક્શન જોડાઈ રહ્યું છે. સુશાંતના ટ્વીટર હેન્ડલ પર કવર પેઈન્ટીંગ લાગેલ છે. આ પેઈન્ટીંગનું નામ છે દ સ્ટારી નાઈટ. આ પેઈન્ટીંગ સાથે જોડાયેલ એક ખુબજ રસપ્રદ વાત સામે આવી છે.

ટ્વીટર પર લાગેલી છે આ ખાસ પેઈન્ટીંગ

સ્ટારી નાઈટ નામની આ ખાસ પેઈન્ટીંગ નીદરલેન્ડ્સના પ્રખ્યાત કલાકાર વિન્સેન્ટ વાન ગોધે જૂન ૧૮૮૯ માં બનાવી હતી. સુશાંત સિંહ રાજપૂતના ટ્વીટર કવર પર લાગેલી આ તસ્વીર અને એમની મોતનો એક અજીબ સંયોગ સામે આવ્યો છે. જોકે, સુશાંત સિંહ રાજપૂતે જે પેઈન્ટીંગનો ફોટો પોતાના ટ્વીટર કવર બનાવ્યું હતું, એની રચના કરવાવાળા કલાકારે એને બનાવ્યાને એક વર્ષ પછી જ આત્મહત્યા કરી લીધી હતી. એ વાત પોતાનામાં જ હેરાન કરનારી છે.

નોંધપાત્ર છે કે થોડા સમય પહેલા સુશંતની માનસિક હાલતનો ખુલાસો કરતા રિયા એ પણ એક પેઈન્ટીંગનો ઉલ્લેખ કર્યો હતો.રિયાએ ખુલાસો કર્યો કે એને ક્યારે અને કેવી રીતે સમજમાં આવ્યું કે સુશાંત તણાવમાં હતા. રિયાનું કહેવું હતું કે યુરોપ ટ્રીપ પર જ એ સમજી ગઈ હતી કે સુશાંત તણાવમાં જઈ રહ્યા છે. રિયાએ જણાવ્યું કે જયારે એ ઓક્ટોબર ૨૦૧૯ માં ઇટલીના ફ્લોરેન્સમાં હોલીડે માટે ગઈ હતી એ સમયે જ એમણે સુશાંતની માનસિક સ્થિતિ કાઈ સારી નહતી લાગતી.

યુરોપમાં થઇ હતી પેઈન્ટીંગને લઈને અજીબ ઘટના

રિયાએ જણાવ્યું હતું કે એ સુશાંત સાથે એક હેરીટેજ હોટેલમાં રોકાઈ હતી. એક દિવસ સુશાંત એકદમ અજીબ વર્તન કરવા લાગ્યા. રિયાએ કહ્યું કે સુશાંત દીવાલ પર લાગેલી એક જૂની પેઈન્ટીંગને ધ્યાનથી દેખી રહ્યા હતા. એમાંથી એક પેઈન્ટીંગ સૈટર્ન બનેલ હતું. હું અને મારો ભાઈ એકબીજાના રૂમમાં હતા. સુશાંત અચાનક રુદ્રાક્ષની માળા લઈને મંત્ર જપવા લાગ્યા હતા. એણે મને કહ્યું હતું કે હું પેઈન્ટીંગમાં કીરદારો દેખી શકું છું, પણ સ્પષ્ટ રીતે જણાવી નથી શકતો કે આખરે એ છે શું? સુશાંતમાં આ પેઈન્ટીંગને લઈને ભ્રમ પેદા થઇ ગયો હતો. એ સમયે મેં એને ગમે તેમ કરીને સમજાવ્યો હતો અને સંભાળ્યો હતો કે એ ફક્ત એનો ભ્રમ હતો બીજું કાઈ નહિ.

જોકે, રિયાના દાવાઓને ખોટા જણાવાઈ રહ્યા છે. જે ટ્રીપથી રિયા અને સુશાંત પાછા ફર્યા હતા, એનાફોટા કેમેરામાં આવી ગયા હતા. એ ફોટામાં સુશાંત ઘણા ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. એ પછીથી જ કહેવાઈ રહ્યું છે કે રિયા એ બધી વાતો પોતાને બેગુનાહ સાબિત કરવા માટે જણાવે છે. જણાવી દઈએ કે સુશાંતના પિતા કેકે સિંહે રિયા પર સુશાંત પાસેથી પૈસા હડપવા અને એને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. એ પછી રિયા સાથે સતત પુછતાછ કરાઈ રહી છે. આ કેસમાં ઘણી ચોકાવનારી વાતો સામે આવી રહી છે પણ સુશાંતના મોત પાછળનું સાચું કારણ સામે આવાનું હજી બાકી છે.

0 Response to "સુશાંતના ટ્વીટર પર લાગેલી આ પેઈન્ટીંગનું એમના મોત સાથે છે ગજબ સંયોગ,બનાવનારે પણ કરી હતી આત્મહત્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel