બાળક પર હાથ ઉપાડતા પહેલા વાંચી લો આ વાત, નહિં તો તમે પણ જીંદગીભર પસ્તાશો
ઘરમાં નાનું બાળક કે બાળકો હોય તો તે તોફાન કરે તે સ્વાભાવિક છે. જો માતા કે પિતા કોઈ કામમાં પરોવાયેલા હોય અને બાળક સતત તોફાન કરે અને કામમાં અડચણ ઊભી કરે તો માતા હોય કે પિતા બાળક પર ગુસ્સે થઈ જાય છે. ઘણા માતાપિતા બાળકોને ફક્ત ખિજાયને વાત અટકાવી દેતા હોય છે. પરંતુ કેટલાક માતાપિતા બાળકના તોફાન પર ગુસ્સે થઈ અને તેને થપ્પડ મારી દેતા હોય છે. આમ કરવાથી બાળક તોફાન કરવાનું તો બંધ કરી દેશે પરંતુ સાથે જ તેને ગંભીર નુકસાન પણ થશે.

એક સંશોધનમાં થયેલા ખુલાસા અનુસાર જ્યારે બાળક પર તેના પરીજન હાથ ઉપાડે છે ત્યારે બાળકના માનસિક વિકાસમાં અવરોધ ઊભો થાય છે. આ સંશોધન અનુસાર બાળકને જો તેના માતા કે પિતા મારે છે તો બાળકના મનમાં ભય ઊભો થાય છે. આ ભયના કારણે બાળકના મગજના એક ખાસ ભાગમાં કેટલીક ગતિવિધિઓ થાય છે. આ ગતિવિધિઓ બાળકના મગજના વિકાસને અવરોધીત કરે છે.
:max_bytes(150000):strip_icc()/117456135-56a258643df78cf7727492bb.jpg)
આ સંશોધનમાં એમ પણ જણાવાયું છે કે જે બાળકને વારંવાર અને વધારે માર મારવામાં આવે છે તે બાળકના મગજના પ્રિફન્ટલ કોર્ટેક્સના ભાગમાં ન્યુરલ રેસ્પન્સ વધુ રહે છે. આવા બાળકોમાં નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેઓ કોઈપણ સમસ્યા સામે લડવાની બાબતમાં પણ પ્રભાવી રહેતા નથી. તે આવી સ્થિતિમાં ગભરાઈ જાય છે.

બાળકને જો કોઈ લાંબા સમય સુધી મારે તો બાળકના વર્તનમાં પણ ફેરફાર થવા લાગે છે. તેના વ્યવહારમાં બેચેની, હતાશા જેવી સ્થિતિ જોવા મળે છે. બાળકનો વ્યવહાર અન્ય બાળક કરતાં અલગ થઈ જાય છે અને આગળ જતાં તે અન્ય માનસિક સમસ્યાનું કારણ બન છે. આવા બાળકો ઘણીવાર અન્ય હિંસાનો પણ ભોગ બને છે અને ઘણીવાર તેમનું વર્તન પણ હિંસક થઈ જાય છે.

જણાવી દઈએ કે આ સંશોધન માટે નિષ્ણાંતોએ 3 વર્ષથી લઈ 11 વર્ષ સુધીના 147 બાળકોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. આ તમામ બાળકોનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. તમામના એમઆરઆઈ પરથી વધુ માર ખાનાર બાળકો અને માર ન ખાનાર બાળકોની માનસિક સ્થિતિની સરખામણી કરવામાં આવી. તેમાં જાણવા મળ્યું કે જે બાળક સાથે વધુ કડકાઈથી વર્તન થાય છે તેવા બાળકો માટે અનેક માનસિક સમસ્યા ઊભી થાય છે.
તેથી જો તમે પણ બાળક સાથે કડકાઈથી વર્તન કરો છો તો આજથી જ આ આદતને બદલી દો.
0 Response to "બાળક પર હાથ ઉપાડતા પહેલા વાંચી લો આ વાત, નહિં તો તમે પણ જીંદગીભર પસ્તાશો"
ટિપ્પણી પોસ્ટ કરો