Fact Check: 15થી 30 એપ્રિલ વચ્ચે દેશમાં લાગશે લોકડાઉન? જાણો ન્યૂઝની સત્યતા
દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે એવામાં દેશમાં લોકડાઉન લાગુ કરવાના અહેવાલોસામે આવી રહ્યા છે. ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ અને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 15 થી 30 એપ્રિલ દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગુ કરવા જઈ રહી છે. જ્યારે આ સમાચાર અંગે પીઆઈબીને માહિતી મળી ત્યારે તેમણે ફેક્ટ ચેક કર્યું. ચાલો અમે તમને જણાવીએ કે આ સમાચારની સત્યતા શું છે.

તમને જણાવી દઈએ કે આ તસવીર પર લખ્યું છે કે 15 થી 30 એપ્રિલ સુધીમાં આખા દેશમાં ફુલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ સરકારે આ સમાચારને સંપૂર્ણ ફેક ગણાવ્યા છે અને આવી ભ્રામક માહિતીથી સાવધ રહેવાનું કહ્યું છે.
ટ્વીટમાં પીઆઈબીએ શું લખ્યું ?
एक #Morphed तस्वीर में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 15 से 30 अप्रैल तक देश भर में लॉकडाउन लगाया जाएगा। #PIBFactCheck: यह दावा #फर्जी है। भारत सरकार द्वारा #लॉकडाउन के संबंध में ऐसी कोई घोषणा नहीं की गई है। कृपया ऐसी भ्रामक तस्वीरों या संदेशों को साझा न करें। pic.twitter.com/gnRpyDcMRf
— PIB Fact Check (@PIBFactCheck) April 15, 2021
એક Morphed ફોટોગ્રાફમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર દ્વારા 15 થી 30 એપ્રિલ વચ્ચે સમગ્ર જેશમાં લોકડાઉન લગાડવામાં આવશે. PIBFactCheck: માં આ દાવો નકલી સાબિત થયો છે. લોકડાઉન અંગે ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કૃપા કરીને આવા ભ્રામક તસવીરો અથવા મેસજ શેર કરશો નહીં.
ખરેખર, તે એક મોર્ફ તસવીર છે. એટલે કે, વાસ્તવિક ચિત્ર સાથે ચેડાં કરીને ભ્રામક માહિતી આપવામાં આવી છે. ફોટામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને આ માહિતીને લોકડાઉન બ્રેકિંગ કહેવામાં આવી રહ્યું છે.
કોરોના કાળમાં ફેક ન્યૂઝ વધી રહ્યા છે
કોરોના કાળમાં દેશભરમાં જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તે છે, તેમાં અનેક બનાવટી સમાચારો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ વાયરલ થયેલા સમાચારોને નકારી દીધા છે અને કહ્યું છે કે સરકારે આ પ્રકારનો કોઈ નિર્ણય લીધો નથી. કોરોના સમયગાળા દરમિયાન આવા બનાવટી સમાચાર ફેલાતા અટકાવવા સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક 2 લાખ 16 હજાર 642 કેસ નોંધાયા છે. નોંધનિય છે કે, ગયા વર્ષે સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધીમાં આ આંકડો એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો છે. આ દરમિયાન 1 લાખ 17 હજાર 825 લોકો પણ સ્વસ્થ થયા, તો બીજી તરફ 1182 દર્દીનાં મોત થયાં હતાં. તમને જણાવી દઈએ કે, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને પાર પહોંચી ગઈ છે.

હાલમાં દેશમાં 15 લાખ 63 હજાર 588 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેનાથી તમે દેશમાં કોરોનાના કહેરનું અનુમાન પણ લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વના ટોપ-20 સંક્રમિત શહેરોની યાદીમાં ભારતનાં 15 શહેરોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ પુણે આ યાદીમાં ટોપ પર છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ બીજા નંબરે છે. તો બીજી તરફ દેશની સ્થિતિ એવી એ છે કે દેશના 120 જેટલા જિલ્લાઓમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓની અછત પડી રહી છે. જેને લઈને લોકો ખુબ પરેશાન થઈ રહ્યા છે.
0 Response to "Fact Check: 15થી 30 એપ્રિલ વચ્ચે દેશમાં લાગશે લોકડાઉન? જાણો ન્યૂઝની સત્યતા"
ટિપ્પણી પોસ્ટ કરો