આજે વિનાયક ચોથ: ભગવાન ગણેશની આ રીતે પૂજા કરવાથી મળે છે સુખ શાંતિ
કોઈ પણ કાર્ય કરતી વખતે હિન્દુ પરંપરા મુજબ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તો બીજી તરફ ગણેશ ચતુર્થીનું પણ હિન્દુ શાસ્ત્રમાં અનેરૂ મહત્વ છે. નોંધનિય છે કે, વૈશાખ મહિનાના સુદ પક્ષની ચોથ તિથિને વિનાયક ગણેશ ચોથ કહેવામાં આવે છે. જે આ વખતે 15 મે અને શનિવાર એટલે આજના દિવસે છે.
તમને જણાવી દઈએ કે, આ દિવસે ગણેશજીને દૂર્વા ઘાસ અર્પણ કરવા ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તો બીજી તરફ વિનાયક ચોથના દિવસે ગણેશજીની પૂજા દિવસમાં બેવાર કરવામાં આવે છે. પ્રથમવાર બપોરના સમયે અને એકવાર સાંજે. નોંધનિય છે કે, વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધી બની રહે છે.
જે ભક્તો વિનાયક ચોથના દિવસે ઉપવાસ કરે છે તેને ભગવાન ગણેશ જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ આપે છે.જ્ઞાન અને ધૈર્ય એ એવા બે નૈતિક ગુણો છે, જેનું મહત્વ સદીઓથી માણસને જ્ઞાત છે. આ ગુણો ધરાવનાર વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને ઇચ્છિત પરિણામો મેળવે છે.

વર્ત વિધિ
વહેલી સવારે ઉઠો અને નહાવાના કામને જલ્દીથી પતાવી લો. બપોરે તમારી ઇચ્છા મુજબ સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અથવા માટીની બનેલી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો.
સંકલ્પ મંત્ર પછી શ્રી ગણેશની શ્રાદ્ધોપચાર પૂજા-આરતી કરો અને ગણેશની મૂર્તિ પર સિંદૂર ચઢાવો

ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરતી વખતે 21 દુર્વા દલ ચઢાવો અને બુંદીના 21 લાડુનો ભોગ ધરો. આ 5 લાડુઓને મૂર્તિની પાસે રાખો અને 5 બ્રાહ્મણને દાન કરો. બાકીના લાડુઓને પ્રસાદ તરીકે વિતરણ કરો.
પૂજામાં શ્રી ગણેશ સ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશક સ્ત્રોત વગેરેનું પઠન કરો. બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજે જ ભોજન લો. જો શક્ય હોય તો વ્રત અને ઉપવાસ પણ કરો.
વ્રતની કથા

એકવાર માતા પાર્વતીએ શિવ સાથે ચૌપડ રમવાની ઇચ્છા વ્યક્ત કરી. શિવજીએ ચૌપડ રમવાનું શરૂ કર્યું હતું પરંતુ આ રમતમાં કોણ જીતશે અને કોણ હારશે તે નક્કી કોણ કરશે. આ માટે ઘાસમાંથી બાળક બનાવીને તેણે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કહ્યું કે તમે હાર જીતનો નિર્ણય કરજો.
આ પછી, માતા પાર્વતી ત્રણ વખત જીતી. પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવ જીત્યા. માતા પાર્વતીને આના પર ખૂબ ગુસ્સો આવી ગયો અને બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો. બાળકના માફી માંગવા પર માતા પાર્વતીએ કહ્યું કે નાગકન્યા એક વર્ષ પછી અહીં આવશે. તેમના કહેવા અનુસાર ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તમારા દુખો દૂર થશે.

તે પછી તે બાળકે ગણેશની પૂજા કરી અને ભગવાન ગણેશ પ્રસન્ન થયા. ગણેશજીએ તેમને તેમના માતાપિતા એટલે કે ભગવાન શિવ-પાર્વતીના દર્શન કરવા કૈલાસ જવાનો વરદાન આપ્યું.
બાળક કૈલાસ પહોંચ્યો. તે જ સમયે, માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ 21 દિવસ સુધી ગણેશ વ્રત કર્યું અને પાર્વતીજી માની ગયા. આ પછી, દેવી પાર્વતીએ પણ પુત્રને મળવા માટે 21 દિવસ સુધી વર્ત કર્યું અને તેમની ઇચ્છા પૂર્ણ થઈ. માનવામાં આવે છે કે તે બાળક ભગવાન કાર્તિકેય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "આજે વિનાયક ચોથ: ભગવાન ગણેશની આ રીતે પૂજા કરવાથી મળે છે સુખ શાંતિ"
ટિપ્પણી પોસ્ટ કરો