બસ એકવાર તમે પણ બનાવો સરસીયાનું તેલ તમારું રૂટીન, આ મોટી 10 બીમારીઓથી મળશે આજીવન મુક્તિ…
મિત્રો, સરસિયાનુ ઓઈલ એ આપણને અનેકવિધ રૂપે લાભદાયી સાબિત થાય છે પરંતુ, મોટાભાગના લોકો તેનાથી થતા ફાયદાઓથી અજાણ છે. જો તમે આ ઓઈલનો ભોજનમા ઉપયોગ કરો છો તો તમારું સ્વાસ્થ્ય હમેંશા તંદુરસ્ત અને નીરોગી રહે છે.
આ ઓઈલમાં પુષ્કળ માત્રામા બીટા કેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેમાં ઓલિક એસિડ અને લિનોલિક એસિડ જોવા મળે છે. તેમા રહેલા ફેટી એસિડ વાળ માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આ ઓઈલ તમારા માટે ટોનિક રૂપે કામ કરે છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.
વાળ મજબુત બને :
આ ઓઈલમા બીટા કેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે આ ઓઈલથી રેગ્યુલર વાળમાં મસાજ કરો તો તમારા વાળ જલ્દી લાંબા થાય છે અને મજબૂત બને છે.
સ્કિન માટે ફાયદાકારક :

આ ઓઈલમાં જો તમે કોકોનટ ઓઈલ એકસમાન માત્રામા મિક્સ કરી અને તેને ૫-૧૦ મિનિટ સુધી આખા બોડીમાં મસાજ કરો તો તમારી સ્કિન એકદમ સોફ્ટ બનશે અને ચમકી ઉઠશે.
રંગ ગોરો બને :

જો તમે સરસિયાનુ ઓઈલ, ચણાનો લોટ, દહી અને થોડો લીંબુનો રસ મિક્સ કરી અને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને ૧૦-૧૫ મિનિટ બાદ ધોઈ લો તો તમારી સ્કિનનો રંગ એકદમ સાફ થઇ જશે અને દાગ-ધબ્બાની સમસ્યા પણ દૂર થઇ થશે.
વજન નિયંત્રણમા રહે :

આ ઓઈલમા થાયમિન, ફોલેટ અને નિયાસિન જેવા વિટામિન્સ સમાવિષ્ટ હોય છે. તે તમારા મેટાબોલિઝ્મની પ્રક્રિયાને મજબુત બનાવે છે, જેનાથી તમારુ વજન નિયંત્રણમા લેવામા સહાયતા મળી રહે છે. જેથી ભોજનમા આ ઓઈલનો ઉપયોગ કરવો.
ગઠિયાની સમસ્યા દૂર થાય :
જો તમે આ સરસિયાના ઓઈલમા કપૂર પીસીને મિક્સ કરી તેને ગઠિયાના દર્દવાળા ભાગે ૫-૧૦ મિનિટ માલિશ કરો તો તમને અવશ્ય ફાયદો થશે.
કાનના દુઃખાવામાં રાહત મળે :

જો તમે આ સરસિયાના ઓઈલમા લસણની કળીઓ નાખીને ગરમ કરી લો અને ત્યારબાદ નવશેકુ રહે એટલે તેના થોડા ટીપા કાનમાં નાખો તો દર્દ તુરંત જ ગાયબ થઈ જશે.
કમરદર્દની સમસ્યા દૂર થાય :
જો તમે સરસિયાના ઓઈલમા અજમો, લસણ અને થોડી હીંગ પીસીને મિક્સ કરી લો અને ત્યારબાદ ૫-૧૦ મિનિટ કમર પર માલિશ કરો તો તમને રાહત મળશે.
કેન્સરની સમસ્યા સામે રાહત મળે :

આ સરસીયાના ઓઈલમા એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વો સમાવિષ્ટ હોય છે, જે કેન્સર સામે રક્ષણ કરે છે અને શરીરમા કેન્સર સેલ્સ બનતા અટકાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "બસ એકવાર તમે પણ બનાવો સરસીયાનું તેલ તમારું રૂટીન, આ મોટી 10 બીમારીઓથી મળશે આજીવન મુક્તિ…"
ટિપ્પણી પોસ્ટ કરો