ડગલેને પગલે જીવનમાં સફળ થવું હોય તો બસ આ 3 વાતોનું ખાસ રાખો ધ્યાન, પછી જુઓ કેવું જોરદાર મળે છે પરિણામ
જે વ્યક્તિના વિચાર નકારાત્મક છે, તેમને તેના કોઈપણ કામમા સરળતાથી સફળતા મળી શકતી નથી. જે લોકો તેમના ભાગ્યના ભરોસે બેસી રહે છે તેમણે અનેકવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે કામ કરીશું નહીં ત્યાં સુધી આપણો સમય બદલાશે નહી પરંતુ, ભાગ્યના ભરોસે બેસી રહો નહી.

આપણે આપણાં કામ થી મુશ્કેલીઓ ને દૂર કરી શકીએ છીએ. જે રીતે ગીતાના માધ્યમથી શ્રીકૃષ્ણે જીવનના ઉદ્દેશ અને શ્રી હરી ને કેવી રીતે પામવા તેનો માર્ગ બતાવ્યો છે. તેવી જ રીતે મહાભારતમાં વિદુરે કેટલીક નીતિઓનું વર્ણન કર્યુ છે. આ નિતીઓ આજના સમયમાં પણ ખુબ જ ઉપયોગી છે અને તેનું અનુકરણ કરવાથી વ્યક્તિ કોઈપણ કાર્યમાં સફળ થઈ શકે છે.
મહેનત અને પ્રયાસ :
કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા સતત મહેનત અને પ્રયાસ કરવો. મહેનત વિના સફળતા મળતી નથી. કારણ કે સફળતા ના કોઈ શોર્ટ કટ હોતા નથી. મહેનત કર્યા વિના મળેલી વસ્તુ ને ટકાવી રાખવી પણ મુશ્કેલ છે.
સંયમ :

સફળતા માટે સંયમ રાખવો પણ ખૂબ જરૂરી હોય છે. લોકો થોડા સફળ થાય એટલે તેઓ જાત પર થી સંયમ ગુમાવી બેસે છે. આ ઉતાવળ તેમના માટે સમસ્યા પણ સર્જી શકે છે. એટલે જો તમે સફળ થવા માંગતા હોય તો તમારે તમારા મન પર સંયમ રાખવો ખુબ જરૂરી છે.
કૌશલ્ય :
સફળતા માટે જરૂરી છે કે જે કામ તમે શરૂ કરો તેમાં તમે કુશળ હોય. કેટલાક લોકો અન્ય ની દેખા દેખીના કારણે એવા કામ કરી બેસે છે, જેમાં તેમની ફાવટ નથી હોતી જેના કારણે તેઓ નિષ્ફળતા ને આમંત્રણ આપી દે છે.
સાવધાની :

સફળતા મેળવવાની જીદમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. જો સફળતા મેળવવાના માર્ગમાં સાવચેત ન રહીએ તો નાની ભુલ નું પણ ગંભીર પરિણામ ભોગવવું પડે છે.
સ્મરણ શક્તિ :
સફળતા મેળવવા માટે આપણી સ્મરણ શક્તિ તેજ હોવી જરૂરી છે. આ ગુણ બધાં પાસે નથી હોતા. તમારું મગજ જેટલું તેજ હશે તેટલી જ તમારી સ્મરણ શક્તિ પણ સારી હશે.
સમજી વિચારીને કાર્ય શરૂ કરવુ :

કોઈપણ કામ શરૂ કરતાં પહેલાં તેના વિષે સારી રીતે વિચાર કરી લેવો જોઈએ. વિચાર કર્યા વિના શરૂ કરવામાં આવેલા કામમાં સફળતા મળતી નથી.
પોઝિટિવિટી – સકારાત્મકતા, મોટિવેશન કે ઇન્સ્પિરેશન – પ્રેરણા, અંતઃસ્ફૂર્ણા અને અફર્મેશન – પુષ્ટિ વગેરે જીવનમાં ખોરાક અને પાણી જેટલાં જ જરૂરી છે. તેને અવગણી ને આંતરિક સંઘર્ષમાં સપડાવા કરતા તેમને એક આદત બનાવી લેવા થી જીવનમાં સફળતા ઉપરાંત સંપન્નતા અને સમપ્રમાણતા પ્રાપ્ત કરી શકાય છે.
0 Response to "ડગલેને પગલે જીવનમાં સફળ થવું હોય તો બસ આ 3 વાતોનું ખાસ રાખો ધ્યાન, પછી જુઓ કેવું જોરદાર મળે છે પરિણામ"
ટિપ્પણી પોસ્ટ કરો