વરસાદી માહોલના કારણે રસોઈઘરમા કીડાઓ બની ગયા છે પરેશાનીનું કારણ…? તો રાહ જોયા વગર અજમાવી લો આ ઉપાય
નમસ્તે મિત્રો આજે વરસાદની સિજન આવતા જ ઘરમાં અનેક જીવજંતુઓનો વાસ થાય છે. આ કિડાઓનું પ્રમાણ વધતાં લોટ, સોજી, મેદો, બેસન કે ચોખા આપણે ડબ્બાની અંદર ભરી રાખતા હોઈએ છીએ પરંતુ, ઘણીવાર તેની અંદર કીડા આવી જતા હોય છ. અને તેના કારણે આપણને ઘણી જ મુશ્કેલીઓ પણ થાય છે. ઘણીવાર તો સારો સમાન પણ આ કીડાના કારણે ફેંકી દેવો પડતો હોય છે,

ખાસ કરીને આ સમસ્યાનો સામનો ઘરની ગૃહિણીઓને કરવો પડતો હોય છે. જેના કારણે ગૃહિણીઓ ખુબજ પરેશાન રહે છે.પરંતુ આજે અમે તમને એવી સરળ રીત જણાવીશું જેના કારણે આ બધી વસ્તુઓમાં કીડા ક્યારેય નહિ આવે અને તેને તમે સારી રીતે વાપરી પણ શકશો.

આવી સમસ્યાને દૂર કરવા માટે આપણે લીમડાનો ઉપયોગ કરવો જોઈએ લીમડામાં રહેલા તત્વોને કારણે કીટાણુઓ દૂર થાય છે. આમ, જો લોટને કીડાથી બચાવવા માટે તેમાં લીમડાના પાન રાખી લેવા. જેના કારણે લોટની અંદર કીડી અને જાળા લાગવાની સમસ્યા નહીં થાય. લીમડાના પાન ઉપરાંત તમે ઈચ્છો તો તેમાં તજપત્તા કે મોટી ઇલાયચીનો પણ ઉપયોગ કરી શકો છો.
આ ઉપરાંત આ સમસ્યાને દૂર કરવા માટે ઇલાયસીનો ઉપયોગ કરી શકાય છે. જો સોજી અને દળિયામાં કીડા આવી જતા હોય તો તેના માટે તમાર તેને એક કઢાઈમાં શેકી લેવા. ત્યારબાદ તેને ઠંડા થવા દઈને તેમાં ૮-૧૦ ઈલાયચી નાખીને એર ટાઈટ કન્ટેનરમાં રાખી લેવા જેનાથી કીડા લાગવાની સમસ્યા નહીં થાય.

વરસાદની સીજનની અંદર ખાસ કરીને મેંદા અને બેસનમાં સૌથી વધારે કીડા લાગી જાય છે. આ બંને વસ્તુઓને કીડાથી બચાવવા માટે તેને ડબ્બામાં નાખીને તેમાં મોટી ઈલાયચી નાખી દેવી. આમ કરવાથી તેને કીડાથી બચાવી શકાશે. વરસાદની સીજનને કારણે રસોડા તેમજ ઘરની અનેક જગ્યાએ ભેદ આવે છે. જેના કારણે ચોખાની અંદર પણ ભેજ અને ધનુર આવી જવાની સમસ્યા રહેતી હોય છે તેના માટે તમારે ચોખાની અંદર ફૂદીનાના પાન મિક્સ કરી દેવા. તેનાથી ચોખામાં ક્યારેય કીડા પડશે નહીં.

આ ઉપરાંત બદલતા વાતાવરણના કારણે ખાસ કરીને કઠોરની અંદર કીડા પાડવાની સમસ્યાઓ ઊભી થાય છે.ચણા અને દાળમાં કીડા આવી જાય છે. તેનાથી બચાવવા માટે દાળ અને ચણામાં સૂકી હળદર અને લીમડાના પાન પણ નાખી દેવા. એવું કરવાથી કીડા લાગવાની સમસ્યાથી બચી શકાશે.

વરસાદની સીજનને કારણે ઘરમાં આવતા ભેદની સાથે ખાંડ તેમજ મીઠાની અંદર પણ ભેજ જોવા મળે છે.જેનાથી ખાંડ અને મીઠું પીગળવા લાગે છે, અને ચીકણું બની જાય છે. આ પરેશાનીથી બચવા માટે તમે ખાંડ, મીઠું અને મસાલાઓને કાચના ડબ્બામાં રાખી લો. તમે ઈચ્છો તો ખાંડ અને મીઠાના ડબ્બામાં થોડા ચોખાના દાણા પણ રાખી શકો છો. આમ આવી કીડા પડવાની સમસ્યાને દૂર કરવા માટે અનેક આયુર્વેદિક નુસ્કાઓ કરી શકાય છે.
0 Response to "વરસાદી માહોલના કારણે રસોઈઘરમા કીડાઓ બની ગયા છે પરેશાનીનું કારણ…? તો રાહ જોયા વગર અજમાવી લો આ ઉપાય"
ટિપ્પણી પોસ્ટ કરો