દિવાળીમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવી હોય તો ભૂલથી પણ ઘરમાં ન રાખશો આ 5 ચીજો, નહીં તો થઇ જશો પાયમાલ
દિવાળીના દિવસે દરેકના ઘરેમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધન, સંપદા અને શાંતિ માટે લક્ષ્મીજીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે. ત્યારે ઘરમાંથી વધારાની કે ભંગારની વસ્તુઓ ફેંકી દેવી જોઈએ. આવો જાણીએ કઈ કઈ ચીજો ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે.

આવો જાણીએ ઘરમાંથી કઈ કી ચીજો ફેંકી દેવી જોઈએ. જો કે તમે હજુ પણ ચેક કરી શકો છો કે તહેવારના દિવસે તમારા ઘરમાં આમાંથી કોઈ ચીજો નથી ને…તે ભૂલ્યા વિના ચેક કરી લો. દિવાળીના તહેવારમાં ઘરમાંથી આ 5 ચીજો ફેંકવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે અને સાથે જ તમને અખૂટ ધનલાભ પણ થશે. તો જાણો દિવાળી પહેલાં કઈ ચીજો તમારા ઘરમાં ન હોવી જોઈએ.
તૂટેલા ફૂટેલા ફર્નિચરને ઘરની બહાર ફેંકો

ઘરના મુખ્ય દરવાજા પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો દરવાજો તૂટેલો હોય. અવાજ કરતો હોય કે તેમાં તિરાડ પડી ગઈ હોય તો તેને તરત જ સરખો કરાવો. વાસ્તુ મુજબ તૂટેલી ચીજને અશુભ મનાય છે. તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે.
તૂટેલો કાચ પસ્તીમાં આપી દો
ઘરમાં કોઈ કાચ કે અરીસો તૂટી ગયો હોય તો તેને ઘરમાંથી બહાક કાઢી દો. વાસ્તુ અનુસાર તૂટેલા કાચથી નકારાત્મકતા વધે છે.

બંધ પડેલી ઘડિયાળો ચાલુ કરોજો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડેલી હોય તો તેને તરત જ ચાલુ કરાવો. જો તે ચાલુ થવા લાયક ન હોય તો તેને ઘરમાં ક્યારેય ન રાખો. તેથી દિવાળીમાં પહેલા જ ઠીક કરાવી લો.
ફોટો ફ્રેમ અને સજાવટની વસ્તુો પર વધુ ધ્યાન આપો

વાસ્તુ અનુસાર જો ઘરમાં કોઈ તૂટેલી ફ્રેમ, ફોટો કે સજાવટનો સામાન હોય તો દિવાળી પહેલાં તરત જ હટાવી લો. તેનાથી પણ નકારાત્મકતા વધે છે.
નવા દીવા જ પ્રગટાવો

દિવાળીમાં હંમેશા નવા જ દીવા પ્રગટાવો. જો ઘર પર પાછળના વર્ષના કોઈ દીવા પડ્યા હોય તો તેને બિલકુલ ન પ્રગટાવશો. જૂના દીવાથી નકારાત્મકતા ફેલાય છે. દિવાળી પૂજા પછી નવા દીવા જ પ્રગટાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળીમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવી હોય તો ભૂલથી પણ ઘરમાં ન રાખશો આ 5 ચીજો, નહીં તો થઇ જશો પાયમાલ"
ટિપ્પણી પોસ્ટ કરો