આ વિસ્તારોમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો સાવધાન, જાણો અંબાલાલ પટેલે ઠંડી અને માવઠાને લઇને શું કરી આ મોટી આગાહી
શિયાળામાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છના નલિયામાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભુજમાં 13.8, કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ફૂંકાઈ રહેલા પવનના પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડશે

રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દેશમાં ઠંડીને લઇને હવામાન વિભાગ દ્વારા એક મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડશે. દેશમાં સૌથી વધારે ઠંડી દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પડવાનું હવામાન વિભાગ શક્યતા દર્શાવી રહ્યુ છે.
માવઠું થવાની શક્યતા

તો બીજી તરફ હવામાન વિભાગની સાથે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અને માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડીનું પણ પ્રમાણ વધશે.

તાપમાનનો પારો ગગડતાં ન્યુનતમ તાપમાં 12 ડિગ્રી રહેવાની શકતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં ગુજરાતનું તાપમાન નીચે જશે

તેમણે આગળ જણાવતા કહ્યું કે, દક્ષિણ ભારતમાં પહેલી ડિસેમ્બરના રોજ વરસાદ થવાની પણ શક્યતા પણ વ્યક્ત કરી છે અને ઉત્તર ભારતના ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. 15,16 અને 17 ડિસેમ્બરના રોજ માવઠા બાદ 22 ડિસેમ્બરના રોજ ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થવાના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. નોંધનિય છે કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી બરફ પડી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ગુજરાતનું તાપમાન નીચું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતનું તાપમાન હજી વધારે નીચે જાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
સૌથી વધારે અસર ઉત્તર ભારતના રાજ્યોમાં થશે

ઉલ્લેખનીય છે કે હિમવર્ષાની સૌથી વધારે અસર ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળશે અને આગામી બે દિવસ આ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધશે. આ ઉપરાંત નિવાર વાવાઝોડાના કારણે આંધપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરી જેવા રાજ્યોની સ્થિતિ કફોળી બની છે. હાલ આ વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ વાવાઝોડાની અસરના કારણે ઘણા રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસોમાં તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડ્યો

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને કેરળમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ અંદમાનમાં પણ વારસદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રવિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું અને ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. શનિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી હતું અને ન્યુનતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. જેને લઈને ખેતરોમાં બરફ જામેલો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસોમાં તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડ્યો છે. જેને લઈને લોકોને બહાર આવવા જવામાં તકલીફ પડી રહી છે. લોકો ઠંડીથી બચવા આગનો સહારો લઈ રહ્યા છે.
0 Response to "આ વિસ્તારોમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો સાવધાન, જાણો અંબાલાલ પટેલે ઠંડી અને માવઠાને લઇને શું કરી આ મોટી આગાહી"
ટિપ્પણી પોસ્ટ કરો