જો તમે પણ કોરોનાની રસી લેતા અચકાતા હોવ તો ખાસ વાંચી લો આ વિશે શું કહેવું છે એક્સપર્ટનું, બચી જશે જીવ
કોરોના રસીથી સંક્રમણ નહીં રોકાય પણ તેનાથી મૃત્યુનો ખતરો ઘટી જાય છે: જાણી લો એક્સપર્ટનું શું કહેવું છે!
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ તીવ્રતાથી લોકોને પોતાની ચપેટમાં લઈ રહી છે. આ સંક્રમણ એકથી બીજામાં ખૂબ તીવ્રતાથી ફેલાય છે. દિલ્હીથી ચેન્નાઈ અને પટણા જેવા શહેરોમાં પણ રસી લેનારાઓને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. મહત્વનું છે કે દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં તાજેતરના કેસોમાં વધારો થયા બાદ 37 ડોકટરોને ચેપ લાગ્યો હતો, જેમાંથી પાંચને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

નિષ્ણાંતોએ જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાંથી કોરોના વાયરસ રસી સારા પ્રમાણમાં આપી હોવા છતાં ચેપના કેસો નોંધાયા છે. આનાથી કહી શકાય કે તે કોરોનાની સામે કોઈ સુરક્ષા નથી આપતું, પરંતુ સંક્રમણની તીવ્રતા ઘટાડે છે અને મૃત્યુ દર ઘટે છે. તેમણે એમ પણ કહ્યું છે કે કોઈ ક્લિનિકલ અથવા મેડિકલના અભ્યાસમાં રસીકરણ અને ત્યારબાદની બીમારી વચ્ચે ‘અનૌપચારિક સંબંધ’ જાહેર થયો નથી.
રસી લીધા પછી પણ ચેપ લાગે છે

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં તાજેતરના કેસોમાં વધારો થયા બાદ 37 ડોકટરોને ચેપ લાગ્યો હતો, જેમાંથી પાંચને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ ગયા સપ્તાહે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમાંથી ઘણાએ કોવીશિલ્ડ રસીના બંને ડોઝ લીધા હતા. દિલ્હીમાં 22 ફેબ્રુઆરીએ તબિયત લથડતાં એક 54 વર્ષીય સ્વચ્છતા કર્મચારીનું મોત નીપજ્યું હતું. તેમના પુત્ર ધીરજે કહ્યું હતું કે ‘મારા પિતાએ 17 ફેબ્રુઆરીએ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. તે દિવસે જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને બીજા દિવસે તેના શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધ્યું, જે બે-ત્રણ સુધી દિવસ સુધી ચાલ્યું. ‘
પરિવારજનોને રસી વિશે આશંકા

તેમણે જણાવ્યું હતું કે ‘રસીકરણ પછી તેની નબળાઇ હોવા છતાં’ તેના પિતા નોકરી પર જતા રહ્યા હતા અને ફરજ પર હતા ત્યારે બેહોશ થઈ ગયા. બાદમાં હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. ચેન્નાઇમાં, એક વ્યક્તિને 15 માર્ચે રસી આપવામાં આવી હતી અને 29 માર્ચે ફરીથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. 30 માર્ચે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 4 માર્ચે તેમનું અવસાન થયું હતું, જેના કારણે પરિવાર રસીની અસર અંગે આશંકિત બન્યો હતો.
રસી ચેપની તીવ્રતાને ઘટાડે છે.

દિલ્હીના એપોલો હોસ્પિટલના ડો.અવધેશ બંસલે કહ્યું કે, આપણે જાણીએ છીએ કે રસીકરણ પછી પણ ચેપના કેસો થયા છે અને બે ડોઝ લીધા હોવા છતાં પણ એવા કિસ્સા બન્યા છે. પરંતુ આ કિસ્સાઓ તે લાભાર્થીઓ સાથે સંબંધિત છે જેમને ખૂબ જ હળવા લક્ષણો હતા. રસી ઓછામાં ઓછા ચેપની તીવ્રતા ઘટાડે છે અને મૃત્યુદર ઘટાડે છે.

વાઇરસમાં હંમેશાં પરિવર્તન આવે છે. પરંતુ તેનાથી કોઈ મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવતું નથી. સામાન્યપણે કોઈ પણ વાઇરસ લાંબાગાળામાં ઓછો જીવલેણ હોય છે પરંતુ તેની કોઈ ગૅરન્ટી નથી. ચિંતા એ છે કે જો વાઇરસમાં કોઈ પરિવર્તન આવે છે, તો રોગપ્રતિકારક શક્તિ તેની ઓળખ કરી શકતી નથી અને તેની રસી કામ કરતી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "જો તમે પણ કોરોનાની રસી લેતા અચકાતા હોવ તો ખાસ વાંચી લો આ વિશે શું કહેવું છે એક્સપર્ટનું, બચી જશે જીવ"
ટિપ્પણી પોસ્ટ કરો