શુગર ફ્રી ચીજોને ચેક કરવાનું કામ છે ખૂબ જ સરળ, જાણો કઈ રીતે કરી લેશો ચેક
આજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યની ખુબ જ કાળજી લે છે. યોગ્ય સ્વાસ્થ્ય માટે તમે અનેક ચીજોની અવગણના કરો, તેવું બની શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે જે શુગર ફ્રી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તે ખરેખર શુગર ફ્રી છે કે નહીં. કેટલીક સરળ ટિપ્સ છે જે પરથી તમને ખ્યાલ આવશે કે આ શુગર ફ્રી ચીજો ખરેખર, શુગર ફ્રી છે કે નહીં. જેની મદદથી તમે મૂર્ખ બનવાથી બચી શકો છો. કેટલીક કંપનીઓ નેચરલ શુગર અને ઓરગેનિક શુગરના નામે પણ સામાન્ય શુગરનું ફૂડ પેકેટ તમને થમાવી દેતી હોય છે. તો જ્યારે પણ ફૂડ પેકેટ ખરીદો તો આ રીતે તેમાં એડ કરાયેલી શુગરને ચેક કરી શકો છો.

શુગર ફ્રી પ્રોડક્ટની ચકાસણી છે સરળ
લેબલ વાંચીને જ જાણી શકશો…
સૌ પહેલાં પ્રોડક્ટના લેબલને ધ્યાનથી વાંચો. સામગ્રીમાં ક્યાંય પણ શુગર લખેલું મળી જાય તો સમજી લો કે તે શુગર ફ્રી પ્રોડક્ટ નથી.

કેટલીક કંપનીઓ પ્રોડક્ટ લેબલમાં ઓર્ગેનિક શુગર લખે છે. તે ફક્ત તમારું ધ્યાન બીજી તરફ કરવા માટે છે. ખરેખર તો તે નુકશાન કરનારી સામાન્ય શુગર જ છે.
પ્રોડક્ટના લેબલમાં ટોટલ શુગર કોલમ ચેક કરો. અનેક કંપનીઓ અહીં પ્રોડક્ટમાં વપરાયેલી શુગરનો સીધી જ રીતે ઉલ્લેખ કરી લેતી હોય છે.
પ્રોડક્ટમાં નેચરલ શુગરનો ઉલ્લેખ છે તો તે પણ સામાન્ય શુગર જેવી જ નુકશાનકર્તા છે. ફળમાં મળતી નેચરલ શુગર ફ્રક્ટોઝ કોકના કેન જેટલી અનહેલ્ધી હોય છે.

કોઇ પ્રોડક્ટ ફેટ ફ્રી હોઇ શકે છે પણ શક્ય છે કે તેમાં શુગરનું પ્રમાણ વધારે હોય. લેબલ ચેક કરીને જ ચીજ ખરીદો તે યોગ્ય છે.
ડાયાબિટીઝ અથવા કોલેસ્ટરોલ ધરાવતા લોકો શુગર ફ્રી ગોળીઓ લે છે, પરંતુ જો આ ગોળીઓમાં શુગર એટલે કે ખાંડ ઉમેરેલી હોય તો તમને ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
કેન્સરનું કારણ

ઘણીવાર શુગર ફ્રી ગોળીઓ બનાવતી વખતે સેક્રિનનો ઉપયોગ થાય છે. તે પેટ અને લીવર બંને પર ખરાબ અસર કરે છે અને કેન્સરનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધારી શકે છે.
પાચન તંત્ર અસ્વસ્થ
એક સંશોધન મુજબ, શુગર ફ્રી ગોળીમાં ઉમેરાતી મીઠાસ લોકોના પાચન તંત્ર પર ખરાબ અસર કરે છે. તેનો ઉપયોગ કરવાથી, વ્યક્તિને ભૂખ લાગતી નથી, જેના કારણે સારી કેલરીનો અભાવ થાય છે અને શરીર નબળું પડવા લાગે છે.
હૃદય રોગ

જો તમે હૃદયની સમસ્યા અથવા જાડાપણા જેવી સમસ્યા સામે લડી રહ્યા છો અને માત્ર સુગર ફ્રી ગોળીઓ ખાઓ છો, તો પછી તમે ફાયદાને બદલે નુકસાન થઈ શકો છો. ખરેખર, શુગર ફ્રી ગોળીઓમાં હાજર ખાંડ આ સમસ્યાઓ વધારી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર
જો તમને ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો શુગર ફ્રી ચીજોનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરો. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે.
દૃષ્ટિ ઓછી થઈ શકે છે
/extreme-close-up-of-woman-s-eye-73231926-5afe152243a103003735aa7f.jpg)
વધતી ઉંમરમાં ઘણી વખત લોકો ખાંડથી બચવા માટે શુગર ફ્રી ગોળીઓનું સેવન કરે છે, પરંતુ તેના રોજિંદા ઉપયોગથી આંખો પર ખરાબ અસર પડે છે. તે આંખોની દ્રષ્ટિ ઘટાડી શકે છે, જેના કારણે ઉંમર પહેલા આંખની બાજુ ઝાંખી થઈ જાય છે.
ચયાપચય નબળું બનાવે છે
સુગર ફ્રી ગોળીઓમાં પોષક તત્વો હોતા નથી, ઉપરથી ઘણી કંપનીઓ તેમાં મિલાવટ કરે છે, જેના કારણે તેમની ચયાપચય પર ખરાબ અસર પડે છે. આ કારણે, ખાદ્ય પદાર્થો શરીરને શક્તિ આપવા સક્ષમ નથી, જેના કારણે આપણા શરીરમાં અનેક રોગો ફેલાય છે.
0 Response to "શુગર ફ્રી ચીજોને ચેક કરવાનું કામ છે ખૂબ જ સરળ, જાણો કઈ રીતે કરી લેશો ચેક"
ટિપ્પણી પોસ્ટ કરો