આ IPS મહિલા AK-47 લઈને ફરે અને આતંકીઓનું એન્કાઉન્ટર પણ કરી દે છે, જાણો તેને વિશેની તમામ વાતો
આસામની એક મહિલા IPS અધિકારી સંજુક્તા પરાશર, બહાદુરીનું બીજું નામ છે અને આતંકવાદીઓ તેના નામથી જ ધ્રૂજે છે. સંજુક્તા પરાશર આસામના જંગલોમાં AK-47 લઈને ફરે છે. તે 16 આતંકવાદીઓને નિષ્ક્રિય કરવા, 64 થી વધુની ધરપકડ કરવા અને 15 મહિનામાં ટન દારૂગોળો અને હથિયારો જપ્ત કરવા માટે જાણીતી છે. સંજુક્તા પરાશરનું નામ આસામના બોડો આતંકવાદીઓના હૃદયમાં આતંક પેદા કરવા માટે પૂરતું છે.
જેએનયુમાંથી અભ્યાસ કર્યો
એક અહેવાલ મુજબ, સંજુક્તા પરાશરનો જન્મ આસામમાં થયો હતો અને તેણે પ્રારંભિક અભ્યાસ અહીંથી કર્યો હતો. 12 મી પછી સંયુક્તે દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેણે જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય રિલેશનમાં પીજી અને યુએસ વિદેશ નીતિમાં એમફિલ અને પીએચડી કર્યું.
2006 બેચના IPS

સંજુક્તા પરાશર 2006 બેચના IPS અધિકારી છે અને અખિલ ભારતીય સિવિલ સેવા પરીક્ષામાં 85 મો ક્રમ મેળવ્યો છે. આ પછી તેમણે મેઘાલય-આસામ કેડરની પસંદગી કરી.
પ્રથમ પોસ્ટિંગ 2008 માં કરવામાં આવ્યું હતું

વર્ષ 2008 માં, સંજુક્તા પરાશરની પ્રથમ પોસ્ટિંગ આસામના માકુમમાં સહાયક કમાન્ડન્ટ તરીકે હતી. આ પછી તેને ઉડાલગીરીમાં બોડો અને બાંગ્લાદેશીઓ વચ્ચેની હિંસાને નિયંત્રિત કરવા મોકલવામાં આવો હતી.
AK-47 લઈને ફરે છે

સંજુક્તા પરાશર, જ્યારે આસામના સોનિતપુર જિલ્લામાં એસપી હતા, તેમણે સીઆરપીએફ જવાનોની ટીમનું નેતૃત્વ કર્યું હતું અને પોતે AK-47 લઈને આતંકવાદીઓનો સામનો કર્યો હતો. આ ઓપરેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે પોતાની આખી ટીમ સાથે હાથમાં AK-47 રાઈફલ સાથે જોવા મળી હતી.
સંજુક્તાના નામ પર આતંકવાદીઓ ધ્રૂજે છે

સંજુક્તા પરાશરને પણ આતંકવાદી સંગઠન દ્વારા ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ તેમણે ક્યારેય તેની ચિંતા કરી ન હતી. તે આતંકવાદીઓ માટે એક ખતરા સમાન છે અને આતંકવાદીઓ તેમના નામથી ધ્રુજી ઉઠે છે.
15 મહિનામાં 16 એન્કાઉન્ટર

સંજુક્તા પરાશરે વર્ષ 2015 માં બોડો વિરોધી ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું અને તેણે માત્ર 15 મહિનામાં 16 આતંકવાદીઓને માર્યા હતા. આ સિવાય તેણે 64 બોડો આતંકવાદીઓને જેલમાં પણ મોકલ્યા હતા. આ સાથે સંજુક્તાની ટીમે હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તેમની ટીમે 2014 માં 175 અને 2013 માં 172 આતંકવાદીઓને જેલમાં બંધ કર્યા હતા.
રાહત શિબિરમાં મદદ

એક કડક પોલીસ અધિકારીની ફરજ નિભાવવા ઉપરાંત, સંજુક્તા પરાશર પોતાનો મોટાભાગનો સમય લોકોને રાહત શિબિરોમાં મદદ કરવા માટે વિતાવે છે જ્યારે તેને કામમાંથી વિરામ મળે છે, ત્યારે તે લોકોની મદદ કરે છે. તે કહે છે કે તે ખૂબ જ નમ્ર અને પ્રેમાળ છે અને માત્ર ગુનેગારોએ જ તેનાથી ડરવું જોઈએ.
0 Response to "આ IPS મહિલા AK-47 લઈને ફરે અને આતંકીઓનું એન્કાઉન્ટર પણ કરી દે છે, જાણો તેને વિશેની તમામ વાતો"
ટિપ્પણી પોસ્ટ કરો