સાપનું ઝેર બનશે કોરોના માટે અકસીર, આપશે કોરોના સામે રક્ષણ, જાણો તમામ વાતો
સાપનું ઝેર ઘણીવાર માણસો માટે જીવલેણ સાબિત થાય છે પણ બ્રાઝિલમાં આ ઝેર એક વાંદરા માટે જીવન રક્ષક સાબિત થયું છે. બ્રાઝિલના શોધકર્તાઓ શોધ્યું છે કે એક પ્રકારના સાપના ઝેરના અણુઓ વાંદરાની કોશિકાઓમાં કોરોના વાયરસને આગળ વધતો રોકી દીધી. આ કોરોના વાયરસની સારવાર કરવા માટે દવાની જેમ એક સંભવિત પગલાં રૂપે જોવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસની સારવાર જલ્દી જ સાપના ઝેરથી થઈ શકે છે. બ્રાઝિલના શોધકર્તાઓએ મેળવ્યું કે ઝેરમાં હાજર એક મોલક્યુલે વાંદરાના સેલમાં કોરોના વાયરસને વધતો ઘણી હદ સુધી રોકી લીધો.જો કે હજી સુધી માણસોમાં કોવિડ વિરુદ્ધ આ ઝેરને લઈને કોઈ જાણકારી સામે નથી આવી. શોધકર્તાઓએ સમયની જાણકારી આપ્યા વગર એ આશા વ્યક્ત કરી છે કે માણસના સેલ્સ પર પણ આ પદાર્થની તપાસ કરવામાં આવી શકે છે.

સાયન્ટિફિક જર્નલ મોલકયુલ્સમાં પ્રકાશિત એક સ્ટડીમાં ખબર પડી હતી કે jararacussu pit viperએ વાંદરાના સેલ્સમાં વાયરસને વધવાની ક્ષમતાને 75 ટકા સુધી રોકી દીધી હતી. સાઓ પોલો યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સ્ટડીનાં લેખક રાફેલ ગિડોએ કહ્યું હતું કે અમે એ બતાવવામાં સક્ષમ થયા છે કે3 સાપના ઝેરનો આ ભાગ વાયરસના ખાસ પ્રોટીનને રોકી શકે છે.

આ મોલક્યુલ પેપટાઇડ કે પછી અમીનો એસિડની ચેન છે જે કોરોના વાયરસની PlPro એન્ઝાઇમ સાથે જોડાય જાય છે. અન્ય સેલ્સને નુકશાન પહોંચાડ્યા વગર આ વાયરસને વઢવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ એક્સપર્ટએ એ અંગે સાપના શિકાર કરવા અને એને પકડવાની બિનજરૂરી જણાવ્યું છે. jararacussu બ્રાઝિલના સૌથી લાંબા સાપમાંથી એક છે. એની લંબાઈ 6 ફૂટ સુધી હોય છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગિડોએ કહ્યું હતું કે પોતાની એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે પહેલા જ જાણીતા બનેલા પેપટાઇડને લેબમાં તૈયાર કરી શકાય છે. એ અંગે સાપ પકડવા કે પાળવા જરુરી નથી. હર્પેટોલોજીસ્ટ ગિસીપ પુઓરતોએ કહ્યું કે અમે બ્રાઝિલમાં એ લોકોને લઈને સાવધાન છે જે jararacussu ના શિકાર પર એ વિચારીને નીકળી જશે કે એ દુનિયાને બચાવવા જઈ રહ્યા છે….એ એવું નથી. એમને કહ્યું કે એ ખુદ ઝેર નથી જે કોરોના વાયરસનો ઈલાજ કરશે.
તો હવે એ જોવું રહ્યું કે બ્રાઝિલના આ સાપનું ઝેર ખરેખર કોરોના વાયરસને વધતા રોકવા માટે અસરકારક નીવડશે કે કેમ
0 Response to "સાપનું ઝેર બનશે કોરોના માટે અકસીર, આપશે કોરોના સામે રક્ષણ, જાણો તમામ વાતો"
ટિપ્પણી પોસ્ટ કરો