જો તમે પણ દૂર કરવા માંગતા હોવ લોહીની ઉણપ દૂર તો આર્યનથી સમૃદ્ધ આ વસ્તુઓ આજે જ ખાઓ
શરીર માટે દરેક પોષકતત્વો ખુબ જ મહત્વપૂર્ણ છે, જેના કારણે તમને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થવા લાગે છે. આ જ રીતે શરીરમાં આયર્નની ઉણપને કારણે, વાળ અને ચામડીની નબળાઈ, માથાનો દુ:ખાવો, અસામાન્ય ધબકારા, ચક્કર વગેરે જેવી સમસ્યાઓ હોય શકે છે. ખરેખર, આયર્નની ઉણપને કારણે, લોહી અને હિમોગ્લોબિનનો પણ અભાવ રહે છે અને શરીરના દરેક અંગને સ્વસ્થ રાખવા માટે પૂરતું અને સ્વસ્થ લોહી હોવું ખૂબ જ જરૂરી છે.

હિમોગ્લોબિન પણ કિડનીના રોગોનું કારણ બની શકે છે. શરીરમાં આયર્નની ઉણપની સારવાર ખૂબ જ સરળ છે. આ માટે તમારે ફક્ત આયર્નથી સમૃદ્ધ ખોરાક લેવાનું શરૂ કરવું જોઈએ. આ આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર કરવા સાથે લોહી અને હિમોગ્લોબિનનું પ્રમાણ પણ યોગ્ય રહેશે.
આયર્નથી સમૃદ્ધ ખોરાક :
પાલક :
પાલક માત્ર મોટી માત્રામાં આર્યન જ નથી આપતી. હકીકતમાં તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. તેમાં વિટામિન સી નું પ્રમાણ પણ હોય છે. જે શરીરમાં આર્યન ના શોષણ ને ઝડપી બનાવે છે. સો ગ્રામ પાલકમાં અઢી મિલિગ્રામ આયર્ન હોય છે.
કોળાના બીજ :
કોળાના બીજમાં પણ આર્યન ભરપૂર હોય છે. હેલ્થલાઇન ના જણાવ્યા અનુસાર લગભગ અઠ્ઠયાવીસ ગ્રામ કોળાના બીજમાં અઢી મિલિગ્રામ આયર્ન હોય છે. સાથે જ તેના સેવનથી મેગ્નેશિયમ, વિટામિન કે, ઝિંક અને મેંગેનીઝ પણ ખૂબ જ થાય છે.
કઠોળ :

કઠોળ ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે કઠોળ, ચણા, વટાણા અને સોયાબીન વગેરેનું સેવન કરીને પુષ્કળ પ્રમાણમાં આયર્ન મેળવી શકો છો. શાકાહારીઓ માટે કઠોળના સેવનથી આયર્ન ની ઉણપ દૂર કરી શકાય છે. લગભગ એકસો અઠાણું ગ્રામ રાંધેલી દાળમાં સાડા છ મિલિગ્રામ આયર્ન હોય છે. તે જ સમયે, કઠોળમાંથી ફોલેટ, મેગ્નેશિયમ, ફાઇબર અને પોટેશિયમ પણ ઉપલબ્ધ છે.
ક્વિનોઆ :
જ્યારે પણ પ્રોટીન સમૃદ્ધ ખોરાકની વાત આવે છે, ત્યારે ક્વિનોઆનું નામ આવે છે. પરંતુ તે આયર્ન સમૃદ્ધ ખોરાક પણ છે. હેલ્થલાઇન અનુસાર, એકસો પંચ્યાસી ગ્રામ પાકેલા ક્વિનોઆમાંથી પોણા ત્રણ મિલિગ્રામ આયર્ન મેળવી શકાય છે. તે જ સમયે, તે ફોલેટ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ વગેરે થી પણ સમૃદ્ધ છે.
બીટ નો કંદ :

આયર્ન અને એનિમિયા દૂર કરવા માટે બીટરોટ ખૂબ અસરકારક છે. બીટરૂટ ના સેવનથી ફોલિક એસિડ, વિટામિન બી, કેલ્શિયમ, સલ્ફર, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો પ્રાપ્ત થાય છે. સો ગ્રામ બીટરૂટ ખાવાથી આયર્નની દૈનિક જરૂરિયાતનો લગભગ ચાર ટકા ભાગ મેળવી શકાય છે.
0 Response to "જો તમે પણ દૂર કરવા માંગતા હોવ લોહીની ઉણપ દૂર તો આર્યનથી સમૃદ્ધ આ વસ્તુઓ આજે જ ખાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો