અમદાવાદીઓ સાવધાન! આજથી આ જગ્યાઓ પર વેક્સિન સર્ટિફિકેટ વગર નહીં મળે એન્ટ્રી
સમગ્ર વિશ્વમાં કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યુ છે. હાલમાં ભારતમાં રસીકરણનો આંકડો 80 કરોડ સુધી પહોંચવા આવ્યો છે. તો બીજી તરફ વેક્સિનેશનને વધુ વેગવાન બનાવવા અમદાવાદ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે.

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને કરેલા નિર્ણય મુજબ આજથી એટલે કે તારિક 20 સપ્ટેમ્બરથી કાંકરિયા ઝૂ અને તળાવ, AMTS, BRTS, રિવરફ્રન્ટ, AMCની બિલ્ડિંગ, ઝોનલ ઓફિસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિમખાના, લાઈબ્રેરી, સ્વીમિંગ પૂલ, વગેરેમાં વેક્સીનેશન સર્ટિફીકેટ ચેક કર્યા વિના પ્રવેશ આપવામાં આવશે નહીં, નોંધનિય છે કે, આ સ્થળોએ પ્રવેશ મેળવવા તેમજ મ્યુનિ. બસોમાં પ્રવાસ કરવા વેક્સિન સર્ટિફીકેટના પુરાવા સાથે જ રાખવા પડશે નહીં તો પ્રવેશ આપવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે, વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ બીજો ડોઝ લેવાને પાત્ર હોવા છતાં બીજો ડોઝ લીધો ન હોય અને તે અંગેનું સર્ટિફીકેટન હોય તેમને પણ મ્યુનિસિપલએ નક્કી કરેલી સેવાઓ મળશે નહીં. એએમસીનો હેતુ વધુમાં વધુ લોકો રસી લે અને સુરક્ષિત બને તે માટેનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કોરોનાની રસી લગાવવાના મામલે દેશે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. દેશમાં પ્રથમ વખત 2.5 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી. આવી સ્થિતિમાં હવે રસીકરણની કામગીરી ઝડપી બની છે. ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં 100 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે.
ચૂંટણી પહેલા 100% રસીકરણ પર ભાર
હવે સરકાર આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ એક એવા સમાચાર પણ છે જે આ રસીકરણ અભિયાનને સીધા દેશના રાજકારણ સાથે જોડી દે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં 100% રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા. આ રાજ્યોમાં, કેન્દ્ર કોરોનાની સમગ્ર વસ્તીને વહેલી તકે રસી આપવા માંગે છે. કારણ સરળ છે – કોરોના સમાપ્ત થયો નથી પરંતુ લોકશાહીના સૌથી મોટા તહેવાર દરમિયાન સામાજિક અંતર એક પડકાર બની શકે છે.
સરકારની આગળની તૈયારી?

ચૂંટણી રાજ્યો ઉપરાંત, દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં રસીકરણને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આવી સ્થિતિમાં, હવે માત્ર રસીની ઢાલ દ્વારા રોગચાળો અટકાવવાનો પ્રયાસ છે. આમ તો હવે ભારતમાં રસીકરણની ઝડપ વધુ ઝડપી બનવા જઈ રહી છે કારણ કે ટૂંક સમયમાં જ વિશ્વની પ્રથમ DNA રસી Zydus Cadila ઉપલબ્ધ થવા જઈ રહી છે. જાણવા મળ્યું છે કે મહિનાના અંત સુધીમાં એક કરોડ રસી દેશને ઉપલબ્ધ થશે. ખાસ વાત એ છે કે આ રસી બાળકોને પણ આપી શકાય છે, પરંતુ સરકારે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી.
એવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે કે ભારત સરકાર સીરમ તરફતી કુલ 20 કરોડ કોવિડશિલ્ડ રસી મેળવવા જઈ રહી છે, જ્યારે ભારત બાયોટેક પણ 35 કરોડ રસીઓ આપવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં, રસીની કટોકટી વધુ ઓછી થાય તેવું દેખાઈ શકે છે.
0 Response to "અમદાવાદીઓ સાવધાન! આજથી આ જગ્યાઓ પર વેક્સિન સર્ટિફિકેટ વગર નહીં મળે એન્ટ્રી"
ટિપ્પણી પોસ્ટ કરો