હૃદયને સ્વસ્થ રાખવા દરરોજ ખાઓ એક અખરોટ, જાણો બીજા આ ફાયદાઓ વિશે પણ
અખરોટ વિશે તો દરેક લોકો જાણે જ છે. અખરોટ એક ડ્રાયફ્રુટ છે. તેમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ વધુ પ્રમાણમાં હોય છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉપરાંત તે ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરપૂર છે. જે અસ્થમા, ત્વચાની સમસ્યાઓ, સંધિવા જેવા રોગોથી આપણને બચાવી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે નિયમિત અખરોટના સેવનથી તમે ક્યાં રોગોથી બચી શકો છો.

ફક્ત હૃદયરોગ અને ડાયાબિટીસ જ નહીં, અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારો મૂડ પણ સારો અને ફ્રેશ રહે છે. એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેમના પહેલા અભ્યાસમાં આ દાવો કર્યો છે. સંશોધનકારો કહે છે કે અખરોટ મૂડ સારો રાખવા માટે અસરકારક છે. અખરોટના નિયમિત સેવનથી ઘણા રોગો દૂર થાય છે.

થોડા સમય પેહલા જ અખરોટ પર એક અધ્યયન કરવામાં આવ્યું હતું જેમાં 18 થી 25 વર્ષની વય જૂથના યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક જૂથના લોકોને તેમને 8 અઠવાડિયા માટે અખરોટ સાથે બ્રેડ આપવામાં આવી હતી અને બીજા જૂથના લોકોને માત્ર બ્રેડ ખાવા માટે આપવામાં આવી હતી. નિર્ધારિત સમયગાળા પછી અખરોટનું સેવન કરતા લોકો વધુ ખુશ જોવા મળ્યા.

– અખરોટ ખાવાથી પાચન સિસ્ટમ સરળતાથી સ્વસ્થ થઈ શકે છે. અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખી શકાય છે અને પેટને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
– અખરોટ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. ઉપરાંત તે શરીરને ફીટ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તમને ખબર જ હશે કે અખરોટ દેખાવ પર પણ મગજ જેવું લાગે છે. તેથી તે મગજ માટે ખુબ જ ફાયદાકારક છે.

– અખરોટનો ઉપયોગ કરવાથી શરીરમાં વિટામિન ઇ અને પ્રોટીનની ઉણપ સરળતાથી દૂર થઈ શકે છે. તેમાં વિટામિન ઇ અને પ્રોટીન વધુ હોય છે જે શરીર માટે સારું છે.
– ઘૂંટણની પીડા દૂર કરવામાં અખરોટ ખૂબ ફાયદાકારક છે. ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટે સાંધા પર અખરોટનું તેલ લગાવવું જોઈએ. આ ઉપાય થોડા સમયમાં જ ઘૂંટણનો દુખાવો દૂર કરશે.
– અખરોટમાં એન્ટીઓકિસડન્ટોનું પ્રમાણ વધુ હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાથી બીમારીઓ ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરી શકો છો.

– અખરોટમાં જોવા મળતા ઓમેગા -3 ફેટી એસિડ્સને કારણે, તે રક્તવાહિની તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ થોડા અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર સામાન્ય થાય છે. તેથી હૃદયને કોઈ નુકસાન થતું નથી.

– અખરોટમાં એવા તત્વો જોવા મળે છે જે આપણી ડાયાબીટિઝની સમસ્યા દૂર કરે છે અથવા આ સમસ્યા થતા રોકે છે. તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરવો જ જોઈએ.
અખરોટ ત્વચાની સમસ્યામાં પણ ફાયદાકારક છે. તે વૃદ્ધાવસ્થા પર થતી કરચલીઓ ઘટાડે છે. અખરોટમાં હાજર ન્યુટ્રિઅન્ટ્સ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

અખરોટનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે. તેમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ્સ તમારા મૂડને સુધારીને સારી નિંદ્રામાં મદદ કરે છે. વિટામિન-બી 6, ટ્રિપ્ટોફન, પ્રોટીન અને ફોલિક એસિડ ડિપ્રેશનમાં રાહત આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "હૃદયને સ્વસ્થ રાખવા દરરોજ ખાઓ એક અખરોટ, જાણો બીજા આ ફાયદાઓ વિશે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો