આ કારણોસર ખાવામાં આવે છે ઇફ્તારના દિવસે ખજુર, જાણો આ સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે
રમઝાનની શરૂઆત થઈ છે અને મુસ્લિમ સમુદાયો આ મહિનામાં 30 દિવસ માટે ઉપવાસ કરે છે. આ સમય દરમિયાન, આખો દિવસ કંઈપણ ન ખાય. રોઝામાં માત્ર સેહરી સમયે જ ખાય અને આખો દિવસ ભૂખ્યા રહે પછી સાંજે રોઝા ખોલો એટલે કે ઇફ્તાર. રોઝા ખોલવાની એક વિધિ પણ છે અને આ ધાર્મિક વિધિ મુજબ રોઝા ફક્ત ઇફ્તીના સમયે ખજૂર ખાવાથી તૂટે છે.

આ જ કારણ છે કે દુનિયાભરના મુસ્લિમો રોઝાને ખજૂર સાથે ખોલવાનું પસંદ કરે છે. તે જ સમયે, ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે લાભ કરે છે. વિશ્વની શ્રેષ્ઠ પ્રકારની ખજૂર, જે ઘણા રોગોને મટાડવામાં મદદ કરે છે, તે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મદીનામાં જોવા મળે છે.

હકીકતમાં, આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી, જો તમે કંઇક ખાશો, તો તે એવી વસ્તુ હોવી જોઈએ જે તમારા શરીરને નુકસાન ન કરે, પરંતુ ફક્ત થોડો ફાયદો આપે. આથી જ રોઝા ખોલતી વખતે ખજૂર ને વધુ મહત્વ આપવામાં આવે છે. ખજૂરમાં પુષ્કળ એમિનો એસિડ, ગ્લુકોઝ, ફોસ્ફરસ, ખનિજ, આયર્ન, કેલ્શિયમ ઘણી રીતે ફાયદાકારક છે. તેથી, વ્યક્તિએ ચોક્કસપણે ખજૂર ખાવા જોઈએ. ખજૂર ખાવાની પાછળનું બીજું કારણ એવું પણ માનવામાં આવે છે કે ઇસ્લામની શરૂઆત અરબથી થઈ છે. ખજૂર ફળ ત્યાં ખાવા માટે સરળતાથી મળી રહે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ કારણોસર, રોજામાં ખજૂર ખાવાની પરંપરા શરૂ થઈ.
ખજૂર પોષક તત્વોથી સમૃદ્ધ છે. આ જ કારણ છે કે રમઝાનમાં ઈફ્તાર દરમિયાન ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે. રોઝા રાખ્યા પછી, દિવસભર શરીરમાં એનર્જી ઓછી થવા લાગે છે, આવી રીતે રોઝા ખોલવા માટે ખજૂર ખાવામાં આવે છે, જેથી ઉર્જા પૂરી પાડી શકાય.

દરરોજના ખાવામાં ખજૂર ખાવાથી તન તંદુરસ્ત રહે છે અને વજન વધે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે. શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે. કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ફાયદો થાય છે. ખજૂર કમજોર વ્યક્તિએ વધુ ન ખાવું હિતાવહ છે. ઉપરાંત આંખો દુ:ખતી હોય તો પણ ખજૂર ન ખાવું હિતાવહ છે. ખજૂર કબજીયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે, પેશાબ છૂટથી લાવે છે અને વિર્યશક્તિમાં વધારો કરે છે. ખજૂર ક્ષયની બીમારીમાં ઉપયોગી છે, ઉપરાંત રક્તપિત્તના રોગને હટાવે છે. ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી અને ફેટ પણ ઓછી છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે.

ખજૂર નવજાત શિશુ માટે ઉત્તમ ઘૂંટી છે. ગર્ભવતી સ્ત્રી નિયમિત સેવન કરતી રહે તો સુંદર ધીરજવાન અને સહિષ્ણું બાળક જન્મે છે. ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ. ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે. કિડની અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે. ખજૂર બાળકો માટે પણ પોષ્ટિક છે. ખજૂરને ધોઈ ઠળિયા કાઢી થોડા ઘીમાં શેકી ખાવું. શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય, પિત્ત હોય તો ખજૂરનું સેવન કરવાથી કે તેનું શરબત પીવાથી ખૂબ ફાયદો થાય છે.

જો તમે દુબળા પાટલા છો અને વજન વધારવા માંગો છો, તો ખૂજરના ટુકડા કરી તેને ઘીમાં સાતળી લો તેને દરરોજ સવારે ખાવાથી થોડા દિવસોમાં ફરક જોવા મળશે. ઉપરાંત તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે. ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડની તકલીફમાં ખૂબ ઉપયોગી છે.

જો તમને વારંવાર થાક લાગતો હોય અથવા આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો હોય, તેમજ ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો. ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમીના વધે છે. બેચેની, પગ દુખવા વગેરે પણ દૂર થાય છે. વધુ પડતી પાતળી વ્યક્તિ થોડી ખજૂર દરરોજ ખાય તો તેનું વજન વધી શકે છે.
ખજૂર આંતરડાંનાં કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી થાય છે. ઘણી વખત જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે. આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી સંતોષ પણ મળે છે અને વજન પણ નહીં વધે.
0 Response to "આ કારણોસર ખાવામાં આવે છે ઇફ્તારના દિવસે ખજુર, જાણો આ સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો