કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું, જાણો કયું નવું નામ છે લિસ્ટમાં સામેલ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ આપ્યું રાજીનામુ, આજે જ પુરા થયા સરકારના 2 વર્ષ.
કર્ણાટકની રાજનીતિમાં ફરી એકવાર હલચલની ગતિ ઝડપી બની છે. સોમવારે બી એસ યેદીયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામુ ત્યારે અપાયું જ્યારે આજે જ કર્ણાટકની બીજેપી સરકારને બે વર્ષ પુરા થયા છે. એવામાં હવે બધાની જ નજર એ વાત પર છે કે હવે બીજેપી કર્ણાટક રાજયની કમાન કોને સોંપે છે.
It has been an honour to have served the state for the past two years. I have decided to resign as the Chief Minister of Karnataka. I am humbled and sincerely thank the people of the state for giving me the opportunity to serve them. (1/2)
— B.S. Yediyurappa (@BSYBJP) July 26, 2021
પોતાના રાજીનામાંની ઘોષણા કરતા બી એસ યેદીયુરપ્પાએ કહ્યું હતું કે લોકો માટે ઘણું જ કામ કરવાનું છે. આપણે બધાએ મહેનત સાથે કામ કરવું જોઈએ. યેદીયુરપ્પાએ કહ્યું કે એ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે.યેદીયુરપ્પાએ ખાતરીપૂર્વક કહ્યું હતું કે, ‘હું મુખ્યમંત્રીપદે રહું કે ન રહું પરંતુ ભાજપ માટે આવનારાં 10થી 15 વર્ષ સુધી કામગીરી કરતો રહીશ. યેદિયુરપ્પએ કર્ણાટક ભાજપમાં મોટાભાગના હોદ્દાઓ પર કામ કર્યુ છે અને આટલા હોદ્દાઓ પર લગભગ કોઇએ કામ નહીં કર્યું હોય. જેના માટે તેઓ કેન્દ્રીય નેતાગીરીના આભારી છે.
I have decided to resign. I will meet the Governor after lunch: Karnataka CM BS Yediyurappa at a programme to mark the celebration of 2 years of his govt pic.twitter.com/sOn0lXAfeD
— ANI (@ANI) July 26, 2021
સોમવારે કર્ણાટકના બીજેપી સરકારને બે વર્ષ પુરા થવાનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું, બી એસ યેદીયુરપ્પા પણ સવારથી જ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે કર્ણાટકની રાજનીતિને લઈને લાંબા સમયથી અલગ અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી જતી. હાલમાં જ બી એસ યેદીયુરપ્પાએ નવી દિલ્લી આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડા સાથે મુલાકાત કરી હતી. ત્યારે જ આ વાત કહેવામાં આવી રહી હતી કે હવે યેદીયુરપ્પા પોતાનું પદ છોડી શકે છે.
I am grateful to PM @narendramodi Ji, @JPNadda Ji & @AmitShah Ji for their support. (2/2)
— B.S. Yediyurappa (@BSYBJP) July 26, 2021
જ્યારે બી એસ યેદીયુરપ્પાના રાજીનામાની અટકળો વધી ગઈ હતી ત્યારથી લિંગાયત સમુદાયના લોકોનું બીએસ યેદીયુરપ્પા સાથે મળવાનું ચાલુ હતું. એવામાં આ મુલાકાતોનો કેન્દ્રીય નેતૃત્વને આપવામાં આવેલા એક સંદેશ તરીકે જોવામાં આવી રહી હતી. જો કે પછીથી બીએસ યેદીયુરપ્પાએ ચોખવટ કરી હતી કે જો કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે તો એ રાજીનામુ આપી દેશે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2018ના વિધાનસભાની ચૂંટણી પછી કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની હતી પણ આ સરકાર એક વર્ષ પણ નહોતી ચાલી અને પછી બીજેપીએ બીએસ યેદીયુરપ્પાની આગેવાનીમાં પોતાની સરકાર બનાવી લીધી હતી.
બુકનાકરે સિધ્ધલિંગપ્પા યેદીયુરપ્પાનો જન્મ 27 ફેબ્રુઆરી 1943ના રોજ થયો હતો. ઘણીવાર તેમને બીએસવાય દ્વારા ઓળખવામાં આવે છે. યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યા હતા. કર્ણાટકમાં આવું કરનાર એક માત્ર મુખ્યમંત્રી છે અને કર્ણાટક વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે 3 વખત સેવા આપનારા કર્ણાટકમાં તેઓ અત્યાર સુધીમાં એક માત્ર એવા નેતા છે. તેઓ શિમોગા જિલ્લાના શિકરીપુરા મત વિસ્તારના આઠ વખતના ધારાસભ્ય પણ છે.
0 Response to "કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું, જાણો કયું નવું નામ છે લિસ્ટમાં સામેલ"
ટિપ્પણી પોસ્ટ કરો