૮ જૂને પાર્ટીમાં દિશા સાથે સાથે મોટા લોકોએ કર્યો હતો દુર્વ્યવહાર, સુશાંતને ફોન કરીને જણાવી હતી વાત
સુશાંત સિંહ રાજપૂતની મોતને લઈને રોજ નવા નવા ઉજાગર થઇ રહ્યા છે. આ મોતને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયનના મોત સાથે પણ સાંકળીને જોવાઈ રહી હતી. હવે એમાં ઇન્સાફ એસએસઆર નામ નું એક અભિયાન ચલાવનારા કાર્યકર્તા પ્રશાંત કુમારે ચોકાવનારો ખુલાસો કર્યો છે. પ્રશાંત હાલમાંજ રિપબ્લિક ટીવી પર ‘The Debate with Arnab Goswami’ માં શામેલ થયા હતા. અહિયાં એમણે દાવો કરીને જણાવ્યું કે એમને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરવાવાળો વ્યક્તિ પોતાને દિશાનો મિત્ર કહેતો હતો. એમણે પ્રશાંતને એક પાર્ટી વિષે સુચના આપી જે કથિત રૂપે ૮ જુને થઇ હતી. યાદ કરાઈ દઈએ કે એ એજ દિવસ છે જયારે દિશાએ આત્મહત્યા કરી હતી. જોકે, પછીથી એ પગ લપસતા પડવાને કારણે આકસ્મિક મોતનું નામ આપી દેવાયું.
પાર્ટીમાં દિશા સાથે થયો હતો ખરાબ વ્યવહાર
અનર્બ ગોસ્વામીના ડીબેટમાં પ્રશાંતે જણાવ્યું કે મને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે જે દિશાનો મિત્ર હોવાનો દાવો કરી રહ્યો હતો. એ વ્યક્તિએ મને જણાવ્યું કે હું પરેશાન છું, મદદ કરવા ઈચ્છું છું પણ બીકથી નથી કરી શક્યો. એ વ્યક્તિને મારો નંબર ક્યાંક થી મળી ગયો હતો કારણે કે હું ઇન્સાફ એસએસઆર અભિયાન ચલાવી રહ્યો હતો. પ્રશાંત આગળ કહે છે કે એ વ્યક્તિએ કહ્યું કે હું મદદ કરવા ઈચ્છું છું પણ હું મુંબઈમાં રહું છું, એટલે ડરેલો છું. વ્યક્તિએ પ્રશાંતને આગળ કહ્યું કે ૮ જૂને દિશા એક પાર્ટીમાં ગઈ હતી. આ પાર્ટીમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ અને રાજનેતા પણ શામેલ હતા. ત્યાં કોઈએ દિશા સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
સુશાંતને દિશાએ આપી હતી જાણકારી
પ્રશાંત આગળ કહે છે કે પોતાને દિશાનો મિત્ર કહેનાર વ્યક્તિએ કહ્યું કે દિશાએ સુશાંતને પાર્ટીમાં પોતાની સાથે થયેલ ઘટના વિષે જણાવ્યું હતું. એવામાં સુશાંતે એમને એ પાર્ટીથી નીકળી જવાનું કહ્યું હતું. એમણે એવું પણ કહ્યું હતું કે એ બાબતને જોશે અને એની પર એક્શન પણ લેશે. જોકે, એના થોડા સમય પછી સંદીપને સુશાંતનો ફોન આવ્યો અને એણે એક્ટરને સુચના આપી કે દિશાએ આત્મહત્યા કરી લીધી છે. એ ખબર સાંભળીને સુશાંત હેરાન થયા હતા, એમને એ વાત પર વિશ્વાસ જ નહતો થયો. વ્યક્તિએ આગળ કહ્યું કે બીજા દિવસે રિયા અને સુશાંત ચક્રવર્તી વચ્ચે લડાઈ થઇ હતી. રિયા સુશાંતનું સાંભળવા જ તૈયાર ન હતી અને એ ત્યાંથી ચાલી ગઈ હતી. એ પછી જે થયું એ બધા જાણે છે. જણાવી દઈએ કે જયારે પ્રશાંત એ દાવો કરી રહ્યા હતા ત્યારે બિહારના ડીજીપી પણ પેનલ પર હતા.
#SushantCoverup | Disha's friend called me anonymously and said there was a party on June 8 and many celebrities and politicians were part of it. Someone misbehaved with her and she had called Sushant is what I was told: Prashant Kumar, Activist pic.twitter.com/wobClst3xu
— Republic (@republic) August 3, 2020
એ પહેલા જયારે બિહાર પોલીસ શનિવારે દિશા સાલિયાન સુસાઈડ કેસની માહિતી લેવા મલાડના માલવાની પોલીસ સ્ટેશન ગઈ હતી તો ત્યાં પણ અજીબ થયું. પહેલા મુંબઈ પોલીસે જાણકારી આપવા માટે હા કહ્યું પણ એક કોલ આવ્યા પછી બોલવા લાગી કે દિશાની માહિતીનું ફોલ્ડર ભૂલમાં ડીલીટ થઇ ગયું. એ પછી જયારે બિહાર પોલીસે પોતાને ફાઈલ શોધવાની પેશકશ કરી તો એમને લેપટોપ ઉપયોગ ના કરવા દીધો. હકીકતમાં સુશાંત અને દિશા વચ્ચે મોતની કડી સમજવા માટે બિહાર પોલીસ દિશા સાલીયાનનો કેસ ફરી ખોલવા ઈચ્છે છે.
0 Response to "૮ જૂને પાર્ટીમાં દિશા સાથે સાથે મોટા લોકોએ કર્યો હતો દુર્વ્યવહાર, સુશાંતને ફોન કરીને જણાવી હતી વાત"
ટિપ્પણી પોસ્ટ કરો