વિટામીન બી12ની ખામીને દૂર કરવા કરી લો આ ઉપાયો, શરીરમાં જો દેખાય આવા ફેરફાર તો થઈ શકે છે ગંભીર બીમારી
બદલાતી લાઈફ સ્ટાઈલમાં લોકોના ખાન પાનના કારણે શરીરમા અનેક વિટામીન અને પોષક તત્વોની ખામી આવે છે. એક સ્વસ્થ શરીર માટે અનેક પ્રકારના વિટામીન જરૂરી હોય છે. તેમાંથી એક છે વિટામીન બી12. શરીરને માટે વિટામીન બી12નો કોઈ અન્ય પૌષ્ટિક વિકલ્પ હોઈ શકે નહીં. આ પાણીમાં ઓગળવાની સાથે શરીરની અનેક ગતિવિધિમાં સામેલ થાય છે. જે રેડ બ્લડ સેલ, ડીએનએનું નિર્માણ કરવામાં મદદ કરે છે.

જાણીતા ડાયટિશ્યનના જણાવ્યા અનુસાર શરીરમાં મેટાબોલિઝમથી લઈને ડીએનએ સિંથેસિસ અને રેડ બ્લડ સેલ્સ માટે વિટામીન બી12ની જરૂર રહે છે. નર્વસ સિસ્ટમને હેલ્ધી બનાવી રાખવા માટે વિટામીન બી12 જરૂરી છે. શરીરમાં વિટામીન બી12ની ખામી હોય તો તમે અનેક ગંભીર સમસ્યાનો શિકાર બની શકો છો. એવામાં તમારે શરીરમાં વિટામીન બી12ની ખામીથી થતી બીમારી અને તેના લક્ષણોને વિશે જાણી લેવું જરૂરી છે.
આ છે વિટામીન બી12ની ખામીના પ્રમુખ લક્ષણો, દેખાતા ઈગ્નોર કરવાને બદલે થઈ જાઓ એલર્ટ
- સ્કીન પીળી થવી
image source - જીભમાં દાણા થવા કે પછી જીભ લાલ થઈ જવી
- આંખોની રોશની ઓછી થઈ જવી
- મોઢામાં વારેઘડી ચાંદા પડવા
- યાદશક્તિ ઘટવા લાગવી
- ડિમેન્શિયા
- વધારે નબળાઈ આવવી કે વારેઘડી થાક લાગવો
- ડિપ્રેશન
આ સિવાય નીચે જણાવવામાં આવેલી ગંભીર બીમારી પણ વિટામીન બી12ની ખામીના કારણે જોવા મળે છે.
વિટિલિગો

જાણીતા ડોક્ટર કહે છે કે આ એક એવી બીમારી છે જેને સફેદ ડાઘના નામે પણ ઓળખવામાં આવે છે. આ હાઈપર પિગ્મેન્ટેશનથી વિપરિત છે. તેમાં શરીરમાં મેલેનિનની ખામી આવે છે. જેનાથી સફેદ પેચ બની જાય છે. વિટિલિગોની સમસ્યા ખાસ કરીને શરીરના એ ભાગ પર થાય છે જે સૂર્યની રોશનીના સીધા સંપર્કમાં આવે છે. તમારા ચહેરા, હાથ અને પગ તથા ગરદન પર તેની અસર થઈ શકે છે.
અંગુલર ચેલાઈટિસ

વિટામીન બી12ની ખામીથી થનારી આ એક એવી બીમારી છે જેમાં મોઢાના ખૂણા પર રેડનેસ અને સોજા જોવા મળે છે. અંગુલર ચેલાઈટિસ થવાથી સૌથી પહેલા શરીરમાં લાલાશ અને સોજાના ફેરફાર જોવા મળે છે.
હાઈપર પિગ્મેન્ટેશન
હાઈપર પિગ્મેન્ટેશનમાં સ્કીન પર ડાઘ- ધબ્બા, પેચ કે સ્કીનનો કલર ડાર્ક થતો જોવા મળે છે. આ ડાર્ક પેચ ચહેરા કે શરીરના અન્ય કોઈ પણ ભાગ પર થઈ શકે છે. એવું ત્યારે થાય છે જ્યારે સ્કીનમાં વધારે પ્રમાણમાં મેલાનિન પિગ્મેન્ટ બને છે. તેમાં શરીરના કોઈ પણ ભાગ પર ભૂરા, કાળા રંગના ધબ્બા બની શકે છે.
વિટામીન બી12ની ખામીથી થતી અન્ય સમસ્યાઓ

તમારા શરીરમાં વિટામીન બી12ની ખામી છે તો તમે તેવામાં એનિમિયા, થાક, સ્મૃતિ લોસ, મિજાજ ખરાબ રહેવો, ચિડિયાપણું, ખાલી ચઢી જવી, હાથ પગ જકડાઈ જવા, દૃષ્ટિ ઘટી જવી, મોઢામાં ચાંદા પડવા, કબજિયાત રહેવી, ડાયરિયા થવા કે પછી મસ્તિષ્ક સંબંધી સમસ્યાઓ અનુભવી શકો છો.
આ ચીજોથી પૂરી કરી લો વિટામીન બી12ની ખામી

વિટામીન બી12ની ખામી થવાથી તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. તમે વિટામીન બી12ના સપ્લીમેન્ટ પણ લઈ શકો છો. આ સિવાય તમે નોનવેજ ખાઓ છો તો ફિશ, ઈંડા, મીટ, શેલફીશથી વિટામીન બી12ની ખામી પૂરી કરી શકો છો. વેજમાં તમે દહીં, દૂધ, પનીર કે ચીઝ ખાઈ શકો છો. આ રીતે ખાવાથી તમને પ્રાકૃતિક રીતે વિટામીન બી12 મળી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "વિટામીન બી12ની ખામીને દૂર કરવા કરી લો આ ઉપાયો, શરીરમાં જો દેખાય આવા ફેરફાર તો થઈ શકે છે ગંભીર બીમારી"
ટિપ્પણી પોસ્ટ કરો