શુક્રવારે કરી લો આ કેટલાક સરળ ઉપાય, માં લક્ષ્મી આપશે આશીર્વાદ, ઇચ્છાઓ કરી દેશે પૂરી

આજકાલના સમયમાં લોકોની સૌથી પહેલી જરૂરત પૈસા છે, પૈસા કમાવવા માટે વ્યક્તિ દરેક શક્ય પ્રયત્ન કરે છે. એવું જણાવાય છે કે જો વ્યક્તિએ પોતાના જીવનમાં ધનની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘણા જ આવશ્યક છે, ઘણા લોકો એવા હોય છે જે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરતા હોય છે. જેનાથી એમની કૃપા મેળવી શકે અને એ પોતાના જીવનમાં સફળતા મેળવી શકે , દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે એના ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી નિવાસ કરે, જેનાથી ઘરની દરિદ્રતા દુર થાય અને ઘર પરિવારની આર્થિક સ્થિતિ મજબુત રહે.

જો તમે પણ ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો આજે અમે તમને કેટલાક સરળ ઉપાયો વિષે જાણકારી આપવાના છે. જો તમે આ ઉપાય શુક્રવારે કરો છો તો એનાથી તમારી બધી મનોકામનાઓ માતા લક્ષ્મીજી પૂરી કરશે અને એનું પરિણામ તમને તુરંત જ મળશે.

આવો જાણીએ શુક્રવારે કયા કરવા ઉપાયો?

  • ધન પ્રાપ્તિ માટે શુક્રવારનો દિવસ ખુબજ ઉત્તમ માનવામાં આવે છે કારણકે શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીજીને સમર્પિત છે, જો તમે ધન મેળવવા ઈચ્છો છો તો તમે શુક્રવારની રાત્રે ઘરના પૂજા સ્થાન કે પછી કોઈ પવિત્ર સ્થાને લક્ષ્મીજીની સ્થાપના કરીને ગાયના ઘી નો સાત મોં વાળો દીવો કરો, એનાથી ધન પ્રાપ્તિના માર્ગ મળે છે.

  • તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની તસ્વીર કે મૂર્તિ પર મોગરાનું અતર અર્પિત કરો , એ સિવાય તમે ગુલાબનું અતર અર્પિત કરો છો તો એનાથી મનુષ્યને રતિ અને કામ સુખ મળે છે.

  • જો તમને ધનની સાથે દાંપત્ય જીવનમાં પ્રેમ જાળવી રાખવા ઈચ્છો છો તો એના માટે શુક્રવારના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીના મંદિરમાં જઈને સોળ શ્રુંગારની સામગ્રીઓ એકત્ર કરો.
  • જો તમે તમારા કારોબારમાં ઉન્નતી મેળવવા ઈચ્છો છો તો એના માટે તમારે રોજ ચંદનનું અતર લગાવીને ઘરથી નીકળો, એનાથી તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં બમણો લાભ મળશે.

  • તમે શુક્રવારના દિવસે સાત નાના આકારના નાળિયેર લો અને એમણે એક પીળા કપડામાં બાંધીને ઘરની રસોઈમાં પૂર્વ દિશા તરફ ટાંગી દો, જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી નહિ રહે.
  • જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા પરિવાર પર હમેશા બની રહે તો એના માટે તમે પ્રત્યેક શુક્રવારના ગાયને તાજી રોટલીમાં ગોળ ઉમેરીને ખવડાવો.

ધનની કામના કરવાવાળા વ્યક્તિ ઘણીવાર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માટે દરેક શક્ય પ્રયત્નમાં લાગેલા રહે છે. ઉપર આપણે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે, જો તમે આ શુક્રવારના દિવસે કરો છો તો એનાથી તમારી ઉપર માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ બની રહે અને તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યા દુર થશે, આ બધા સરળ ઉપાય હોવાની સાથે સાથે ઘણા પ્રભાવશાળી પણ માનવામાં આવે છે, જો તમે આ ઉપાયને તમારા સાચા મનથી કરે છે તો એનો લાભ અવશ્ય મળશે.

0 Response to "શુક્રવારે કરી લો આ કેટલાક સરળ ઉપાય, માં લક્ષ્મી આપશે આશીર્વાદ, ઇચ્છાઓ કરી દેશે પૂરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel