પાન સાથે જોડાયેલો છે આ રોચક ઇતિહાસ, આ માટે લગ્ન પહેલા દુલ્હાને ખવડાવવામાં આવે છે પાન, જાણો તમે પણ

શું તમને ખબર છે કે લગ્ન પહેલાં દુલ્હાને પાન કેમ ખવડાવવામાં આવે છે ?

પાન ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો છે. આજે જો કે પાનના ગલ્લા પર લોકો પાન ખાવા ઓછા અને મસાલા, બીડી માટે વધારે જાય છે. પાનનો ગલ્લો તમને દેશની ગલીએ ગલીએ અને નાકે નાકે જોવા મળશે. તે સમયે જ્યારે તૈયાર મસાલા, બીડી તેમજ સિગરેટ નહોતા આવ્યા તે વખતે લોકો પોતાના મનને એક્ટિવ રાખવા માટે પાનનો ઉપયોગ કરતા હતા.

image source

તમે ઘણીવાર જોયું હશે કે લગ્ન સમયે દુલ્હાને ઘોડી પર ચડાવતા પહેલાં પાન ખવડાવવામાં છે તો વળી સુહાગરાત પહેલા પણ દુલ્હાને પાન ખવડાવવાની ઘણી જૂની પરંપરા છે પણ તેની પાછળ એક ખૂબ મોટું કારણ છે.

image source

આજકાલના લોકો જમ્યા બાદ પાન ખાવાનું પસંદ કરે છે કારણ કે તે માઉથ ફ્રેશનર તરીકેનું કામ પણ કરે છે અને તે ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાન તમારી સેક્સ લાઈફને સારી બનાવવામાં મદદ કરે છે. પાનમાં સોપારી હોય છે જે તમારી કામોત્તેજનાને વધારે છે માટે જુના જમાનાથી સુહાગરાત પહેલા પતિને પાન ખવડાવવામાં આવે છે.

image source

પાન બનાવવામાં અંદર સોપારી, ચુનો, ગુલકંદ અને લવિંગ, કાળા મરી, ઇલાઈચી વિગેરે નાખવામાં આવે છે. જે શરીરમાં આશ્ચર્જનક રીતે તરંગો ઉત્પન્ન કરે છે જે તમારી સેક્સ ક્ષમતાને વધારી દે છે અને કામોત્તેજનાને વધારી દે છે માટે જુના સમયમાં લગ્ન બાદ સુહાગરાત પહેલા પાન ખવડાવવાવાની પરંપરા છે.

ચાલો સાથે સાથે પાનનો ઇતિહાસ પણ જાણી લઈએ

image source

પાન ભારતના ઇતિહાસ તેમજ પરંપરાઓ સાથે જોડાયેલું છે. તેનું ઉદ્ભવસ્થાન મલાયા દ્વીપ માનવામાં આવે છે પાન વિવિધ ભારતીય ભાષાઓમાં અલગ અલગ નામોથી ઓળખાય છે. જેમ કે સંસ્કૃતમાં તેને તામ્બૂલ કહેવાય છે, તો તેલુગુમાં તેને પક્કુ કહેવાય છે, અને તમિલ તેમજ મલિયાલમમાં વેટિલાઈ અને મરાઠીમાં તેને નાગવેલ કહે છે તો ગુજરાતમાં તેને નાગરવેલ કહે છે. પાનનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નથી થતો પણ તેનો ઉપયોગ હિન્દુ સંસ્કાર સાથે પણ જોડાયેલો છે. જેમ કે નામકરણ, યજ્ઞોપવીત વિગેરે. વેદોમાં પાનનું સેવન પવિત્ર ગણવામાં આવે છે.

image source

હીન્દુ માન્યતા પ્રમાણે સૃષ્ટિના નિર્માણ વખતે તેની ઉત્પત્તિ થઈ હતી. શાસ્ત્રોમાં તેનું વર્ણન છે. અમૃત મંથનના સમયે આયુર્વેદજ્ઞ ધનવંતરિના કલશમાં જીવન આપનારી ઔષધિઓની સાથે પાનનું પણ આગમન થયું હતું. આ ભોજનને પાચન શક્તિ આપે છે. પાન માઉથફ્રેશનર તો છે જ સાથે સાથે તે એન્ટિ બાયોટિક પણ છે. નાગરવેલના પાનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. તેમાં ઉમેરવામાં આવતી સામગ્રી જેમકે કાથો, ચૂનો, વરિયાળી, લવિંગ, ગુલકંદ, મુલેટી, સોપારી, નાળિયેરનું છીણ, ઇલાઈચી, ધાણાના બીજ આ બધું જ તમારા પાચનને સ્વસ્થ રાખવાનો રામબાણ ઉપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "પાન સાથે જોડાયેલો છે આ રોચક ઇતિહાસ, આ માટે લગ્ન પહેલા દુલ્હાને ખવડાવવામાં આવે છે પાન, જાણો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel